પ્રભારીની કામગીરીથી આલા કમાન નારાજ નારાજ હોવાના અહેવાલ ફરતા થયા હતા
ગુજરાત કોંગ્રેસને લઇને VTV પર સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રો દ્વારા એવી ચર્ચા વહેતી થઇ છે કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માથી દિલ્હી હાઈકમાન્ડ નારાજ છે. ત્યારે તેઓના સ્થાને મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી અટકળો વહેતી થઇ હતી. ત્યારે પ્રભારી બદલાવાની આ અટકળોને ડામવા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મહત્વનો નિર્ણય લીધો છે. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ આ પ્રકારની અટકળોને ડામવા અમદાવાદને પોતાનું સરનામું બનાવી લીધું છે.
ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે
એટલે કે ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી રઘુ શર્મા અમદાવાદ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે. લો ગાર્ડન નજીક ગુજરાત કોલેજ રોડ પર રઘુ શર્માએ રાખ્યો ફ્લેટ રાખ્યો છે. ચૂંટણી સુધી ગ્રંથ નિર્માણ બોર્ડની કચેરી સામે અક્ષરદીપ એપાર્ટમેન્ટ રઘુ શર્માનું સરનામું રહેશે. ફ્લેટ સુરત કોંગ્રેસના એક આગેવાનનો હોવાની માહિતી મળી રહી છે. રઘુ શર્માની કામગીરીની હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધા બાદ આ નિર્ણય લેવાયો. ઉલ્લેખનીય છે કે, 2017માં અશોક ગેહલોત પણ ચૂંટણી સુધી ગુજરાતમાં રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, એક તરફ ગુજરાતમાં રાજ્યસભા અને વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલો વાગી ચૂક્યા છે તો બીજી તરફ નેતાઓની પક્ષ બદલીની સિઝન પણ જામી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારીથી આલા કમાન નારાજ થયું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે.
રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે તેવી ચર્ચા વહેતી થઇ હતી
રાજ્યસભાની ચૂંટણી નજીકના સમયમાં યોજાનારી છે ત્યારે આ ચૂંટણી બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી બનાવી શકે તેવી ચર્ચાઓ વહેતી થઇ હતી. જણાવી દઈએ કે, રઘુ શર્માના કાર્યકાળ દરમિયાન પક્ષમાંથી હાર્દિક પટેલ, દિનેશ શર્મા, જયરાજસિંહ પરમાર, ઈન્દ્રનીલ રાજ્યગુરુ જેવા દિગ્ગજ નેતાઓ પક્ષને ટાટા-બાયબાય કહી ચૂક્યા છે. ત્યારે આ સમગ્ર મામલે આલા કમાન એક્શનમાં આવ્યું હોવાની ચર્ચાઓ વહેતી થઇ છે અને રઘુ શર્માની જગ્યાએ મુકુલ વાસનિકને ગુજરાતની જવાબદારી સોંપી શકે છે.
જો કે, આ અટકળોને ડામવા માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ સૌથી મોટો નિર્ણય લીધો છે. એ માટે રઘુ શર્મા ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમદાવાદમાં જ રહેશે. કોંગ્રેસ કાર્યાલય નજીક જ પ્રભારી રઘુ શર્માએ ફ્લેટ રાખ્યો છે.
ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે: અર્જુન મોઢવાડિયા
ગુજરાત કોંગ્રેસના પ્રભારી બદલાવાની ચર્ચાને લઇને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડિયાએ પણ સ્પષ્ટતા કરી હતી કે, 'ગુજરાત પ્રભારી બદલાવાના અહેવાલ માત્ર અફવા છે. કોંગ્રેસ 2022ની ચૂંટણી રઘુ શર્માના માર્ગદર્શનમાં જ લડશે. જગદીશ ઠાકોર અને સુખરામ રાઠવાના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણી લડશે. નોંધનીય છે કે, પ્રભારીની કામગીરીથી પ્રદેશ નેતાઓ નારાજ હોવાના અહેવાલ ફરતા થયા હતાં.
2012થી અત્યાર સુધીમાં અનેક દિગ્ગજોએ છોડ્યો કોંગ્રેસનો સાથ
ગુજરાતમાં 2012થી અત્યાર સુધીમાં 60 જેટલાં મોટા કોગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા છે. જેમાં ધારાસભ્યો, સાંસદ અને કોંગ્રેસના સગઠનનાં હોદ્દેદારો પણ ભાજપમાં સામેલ થયા છે.
વિઠલ રાદડિયા પણ 2012માં કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા. બાદમાં 2017માં વિઠલ રાદડિયા અને તેમના પુત્ર જયેશ રાદડિયા મંત્રી બન્યા.
બળવંતસિંહ રાજપૂતને ભાજપમાં જોડાયા બાદ GIDCના બોર્ડ નિગમના ચેરમન તરીકે સ્થાન મળ્યું. હાલ તેઓએ રાજીનામુ આપ્યું છે.
રાજ્યસભાની 2019માં આવેલી ચૂંટણીમાં પહેલા મંગળ ગાવીત, અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા પટેલ, પ્રવીણ મારું, જીતુ ચૌધરી અને પછી બ્રિજેશ મેરજાએ કોંગ્રેસના વર્તમાન MLAમાંથી રાજીનામુ આપ્યું. જેમાં પ્રવીણ મારુ, મંગળ ગાવીત અને સોમા પટેલ કોઈ પક્ષમાં જોડાયા નહીં.
જ્યારે બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરીને ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમડલમાં નવું સ્થાન મળ્યું. જ્યારે અક્ષય પટેલ, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા ભાજપમાં જોડાઈને ફરીવાર પેટાચૂંટણીમાં MLA બન્યા. લુણાવાડાના પૂર્વ MLA હીરા પટેલ પણ ભાજપમાં ભરતી અભિયાનમાં જોડાયા. કોંગ્રેસના પ્રખર કોંગ્રેસી સાગર રાયકા પાંચ મહિના પહેલાં દિલ્હી ભાજપમાં જોડાયા.
37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં સામેલ
એ સિવાય કોંગ્રેસનાં સગઠનમાં 37 વર્ષ સેવા પ્રદાન કરનાર જયરાજસિંહે પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી તેઓ ભાજપમાં જોડાયા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ MLA અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાયા. ત્યાર બાદ આદિવાસી નેતા અને પ્રખર કોંગ્રેસી અનિલ જોષીયારાના પુત્ર કેવલ જોષીયારાએ પણ કેસરિયો ધારણ કર્યો. ત્યારે હવે આજે કોંગ્રેસના વધુ બે નેતાઓ કે જેમાં હાર્દિક પટેલ અને શ્વેતા બ્રહ્મભટ્ટે પણ C.R પાટીલના હસ્તે કેસરિયા ધારણ કરી લીધા છે.