ગુજરાતના રાજકારણમાં હાર્દિક પટેલના રાજીનામાં બાદ ભારે હલચલ મચી ગઈ છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માના નિવેદનથી નરેશ પટેલને લઈને પણ અટકળો શરૂ થઈ ગઈ છે.
હાર્દિક પટેલનું કોંગ્રેસમાંથી રાજીનામું
રઘુ શર્માએ કહ્યું, નરેશ પટેલ કોંગ્રેસમાં આવે છે એટલે હાર્દિકને પેટમાં દર્દ થયો
તેમને જે પાર્ટીમાં જવું હોય તે જઈ શકે છે
હાર્દિક પટેલના રાજીનામાં બાદથી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દ્વારા એક બાદ એક હાર્દિક પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે, ઘણા નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે હાર્દિક પટેલે પહેલેથી ભાજપ સાથે ડીલ કરીને રાખી હતી અને તેઓ રાજીનામું આપવાના છે એ તો પહેલેથી નક્કી જ હતું ત્યારે રાજ્યના કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ મોટું નિવેદન આપ્યું છે.
નરેશ પટેલના કારણે હાર્દિકે રાજીનામું આપ્યું
રઘુ શર્માએ કહ્યું છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં આવી રહ્યા છે અને તે સારા વ્યક્તિ છે, સામાજિક વ્યક્તિ છે, નરેશ પટેલ પાર્ટીમાં આવી રહ્યા છે તે વાતના કારણે હાર્દિકને પેટમાં દર્દ થઈ રહ્યું હતું, એવામાં આવા દર્દનો અમારી પાસે કોઈ ઈલાજ નથી.
તેમણે વધુમાં કહ્યું હતું કે હાર્દિક પટેલ હાલમાં જ ભાજપ પર પ્રહારો કરી રહ્યા હતા અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક હતા, હવે શું કરી રહ્યા છે?
રવિવારે હાર્દિક અને નરેશ પટેલ સાથે થઇ હતી બેઠક
ઉલ્લેખનીય છે કે ગત રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પાટીદાર નેતાઓ સાથે 45 મિનીટ સુધી બેઠક કરી હતી. ખોડલધામમાં બપોરે 2 વાગ્યે યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના પાટીદાર નેતા હાર્દિક પટેલ, પાટીદાર નેતા દિનેશ બાંભણિયા,પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ, યુવાનો પર થયેલા કેસ પાછા ખેંચવા, મારા રાજકીય પ્રવેશ, હાર્દિક પટેલના રાજકારણ વગેરે મહત્વના મુદ્દે ચર્ચા થઈ હતી. આ દરમિયાન નરેશ પટેલે જણાવ્યું કે, મારે રાજકારણમાં જવું કે નહિ અને કયા પક્ષમાં જોડાવું તે આગામી દિવસોસોમાં વધુ ચર્ચા બાદ જાહેર કરીશ. હાર્દક એટલો મેચ્યોર છે જે મને સમજાવી શકે છે. હાર્દિક પટેલના કોંગ્રેસ સાથેના વિવાદ અને ભાજપમાં જોડાવાની અટકળો અંગે પુછાયેલા પ્રશ્ન અંગે નરેશ પટેલે કહ્યું કે, હાર્દિકનો સ્વતંત્ર નિર્ણય છે કે તેને ક્યાં પક્ષમાં જવું ક્યાં પક્ષમાં ન જવું
બેઠક બાદ હાર્દિક પટેલનું સૂચક નિવેદન આવ્યું હતું સામે
રવિવારે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સહિત તમામ પાટીદારો બેઠક કરી હતી. જેમાં હાર્દિક પટેલનું એક સૂચક નિવેદન સામે આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, હું નરેશ ભાઈ સાથે છું. આપહેલા પણ હાર્દિક પટેલે નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશવા માટે અંગે નિર્ણય વહેલામાં વહેલી તકે લઈ લે તે અંગે નિવેદન આપ્યું હતું. આમ આજે હાર્દિક પટેલે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પદે રાજીનામું આપી દેતાં ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો વ્યાપી ગયો હતો. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે, શું નરેશ પટેલ પણ ભગવો ખેસ ધારણ કરશે ?
સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે: હાર્દિક
ગુજરાતના રાજકારણમાં છેલ્લાં કેટલાંય દિવસોથી ચાલી રહેલી અટકળોનો આખરે આજે અંત આવ્યો છે. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ રહી ચૂકેલા હાર્દિક પટેલે અંતે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓએ ટ્વિટર ઉપર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો છે અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી હોવાનું જણાવ્યું છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, 'CAA-NRC, ધારા-370, રામ મંદિર જેવા મુદ્દામાં કોંગ્રેસ માત્ર બાધા બની છે. હું જ્યારે પણ હાઇકમાન્ડને મળ્યો ત્યારે તેમનું ધ્યાન માત્ર મોબાઈલમાં જ હતું. હાઇકમાન્ડને ગુજરાત અને ગુજરાતીઓથી નફરત છે. ગુજરાતનાં નેતાઓ દિલ્હીથી આવેલા નેતાને ચિકન સેન્ડવીચ ટાઈમ પર મળી કે નહીં તેની પર જ ધ્યાન આપે છે.'
કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા: હાર્દિક
વધુમાં હાર્દિકે પત્રમાં કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી વિરોધની રાજનીતિ સુધી સીમિત રહી ગઈ. કોગ્રેસ દરેક મુદ્દા પર કેન્દ્ર સરકારના વિરોધ સીમિત રહી ગઈ. કોંગ્રેસનું નેતૃત્વ પાયાનો રોડમેપ પણ જનતા સમક્ષ પ્રસ્તુત ન કરી શક્યું. કોંગ્રેસના શીર્ષ નેતૃત્વમાં કોઈ પણ મુદ્દામાં ગંભીરતાની ઉણપ રહેલી છે. સમસ્યાઓ કરતા નેતાઓનું ધ્યાન મોબાઈલમાં વધુ હોય છે. જ્યારે દેશને કોંગ્રેસની જરૂર હતી ત્યારે નેતા વિદેશમાં હતા. કોંગ્રેસે યુવાઓના વિશ્વાસને તોડ્યો છે. કોંગ્રેસના મોટા નેતાઓએ જાણીજોઈને ગુજરાતની જનતાના મુદ્દા નબળા કર્યા. કોંગ્રેસના નેતાઓએ આર્થિક ફાયદાઓ ઉઠાવ્યા. કોંગ્રેસના નેતાઓનું વેચાઈ જવું એ જનતા સાથે દગો છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે સારૂ કરવા જ ઈચ્છતી નથી. જ્યારે મે ગુજરાતનું સારૂ ઈચ્છ્યું ત્યારે કોંગ્રેસે મારો તિરસ્કાર કર્યો. આજે હું મોટી હિમંત કરીને કોંગ્રેસમાંથી રાજીનામુ આપુ છું. મને વિશ્વાસ છે કે મારા સાથીઓ મારા નિર્ણયનું સ્વાગત કરશે.'