સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી અને પૂર્વ PM ઈંદિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે ત્યારે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત કોંગ્રેસ વ્યાખ્યાન કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના સિનિયર નેતાઓને શિખામણ આપી હતી.
કોંગ્રેસ પ્રભારીની સિનિયરોને સ્પષ્ટ વાત
જૂથવાદ પર ખુલીને બોલ્યાં રધુ શર્મા
આંતરિક જૂથવાદ પૂરો કરી કામે લાગો
ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે છેલ્લા 25 વર્ષની સત્તાથી હાથ ધોઈ બેઠેલી કોંગ્રેસે ફરી બેઠી કરવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે,
કોંગ્રેસ પ્રભારીની સિનિયરોને સ્પષ્ટ વાત
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જ્યંતી અને પૂર્વ PM ઈંદિરા ગાંધીની પુણ્યતિથિના પ્રસંગે અમદાવાદના ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાત કોંગ્રેસનું મહામંથન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ કોંગ્રેસના સિનિયર નેતાઓએ જુથવાદ છોડી કામે લાગી જવાનો નિર્દેશ કર્યો હતો. ગુજરાતમાં કોંગ્રેસને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ મોટું નુકસાન થયું છે, અને ભાજપનો દબદબો જોવા મળ્યો છે તેમજ છેલ્લા અઢી દાયકાથી કોંગ્રેસનું વર્ચસ્વ ઘટ્યું છે, ત્યારે કોંગ્રેસ માટે આગામી વિધાનસભાની ચૂંટણી કપરા ચઢાણ સાબિત થનાર છે, ત્યારે કોંગ્રેસે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
જૂથવાદ પર ખુલીને બોલ્યાં રધુ શર્મા
ગુજરાતમાં મોંઘવારીએ માજા મુકી છે, કોંગ્રેસ એવું પ્રબળ નેત્વત્વ નથી જે અસરકાર વિપક્ષની ભૂમિકા નિભાવી શકે, રોજ ઈંધણના ભાવમાં થતા વધારાને કારણે પ્રજા ત્રસ્ત બની છે. ત્યારે કોંગ્રેસના સિનિયર નેતાઓને પ્રભારી રઘુ શર્મા દ્વારા એવી શીખ આપવામાં આવી જેથી કોંગ્રેસમાં પાછા પ્રાણ ફુંકાય, કેમ કે રાજ્યમાં છેલ્લા અઢી દાયકાઓથી કોંગ્રેસ સત્તામાં નથી ત્યારે આજે ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે મળેલી એક બેઠકમાં પ્રભારી રઘુ શર્માએ સિનિયર નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આંતરિક જુથવાદ પુરો કરીને કામે લાગી જાઓ, 25 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી.
આંતરિક જૂથવાદ પૂરો કરી કામે લાગો
ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે યોજાયેલા વ્યાખ્યાન કાર્યક્રમમાં રાજસ્થાનના આરોગ્ય મંત્રી ડૉ. રઘુ શર્મા અને કોંગ્રેસના સિનિયર નેતાઓ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, નેતા વિપક્ષ પરેશ ધાનાણી તેમજ કોંગ્રેસ ના પૂર્વ સાંસદ, ધારાસભ્યો સહિત ફ્રન્ટલ સેલના પ્રમુખો હાજર રહ્યા હતા, તેમજ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ પણ હાજર રહ્યા હતા.