કોંગ્રેસ નેતા રઘુ દેસાઈનો જગદીશ ઠાકોર પર આક્ષેપનો મામલો; રઘુ દેસાઈનો પત્ર મને પણ મળ્યો છે અને ઉમેદવાર હારે ત્યા તેની માનસિક દશા શુ હોય તે હું ઓળખુ છું: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોર પર રઘુ દેસાઈનો આક્ષેપ
"હાર માટે ઠાકોરના માણસો જવાબદાર"
રઘુ દેસાઇની વાત વાહિયાત: જગદીશ ઠાકોર
જગદીશ ઠાકોરના કારણે કોંગ્રેસની કારમી હાર થઇ: રઘુ દેસાઈ
રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું છે. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો છે. સાથે જ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો છે. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું છે. તેમજ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી છે. રઘુ દેસાઈએ તેમની હાર માટે જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે અને આથી જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ કરી છે જો કે જગદીશ ઠાકોરે આ આક્ષેપોને ફગાવ્યા છે.
પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા
રઘુ દેસાઈના આક્ષેપો મામલે જગદીશ ઠાકોરે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, રઘુ દેસાઈનો પત્ર મને પણ મળ્યો છે અને ઉમેદવાર હારે ત્યા તેની માનસિક દશા શુ હોય તે હું ઓળખુ છું તેમણે કહ્યું કે, હાર પચાવવી ખુબ અઘરી છે તેમજ રઘુ દેસાઈ સાથે મારે ત્રણથી ચાર વખત વાત થઈ છે તેમણે કહ્યું કે, રઘુ દેસાઈ વાહિયાત વાતો કરે છે. તેમણે જણાવ્યું કે, મારી પાસે ઘણી એવી વાતો છે જે જાહેર ન કરી શકાય અને જેમને પક્ષ વિરોધી પ્રવૃતિ કરી છે તેની સામે પગલા લેવાશે તેમણે કહ્યું કે, મારી અને રઘુ દેસાઈ વચ્ચેની ઘણી વાતો છે જાહેર ન કરી શકુ તેમણે જણાવ્યું કે, ઘણી મહેનત પછી રઘુ દેસાઈ રાધનપુરમાં આવ્યા છે.
રઘુ દેસાઈના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પર ફરી આક્ષેપ
જગદીશ ઠાકોરની પ્રતિક્રિયા બાદ ફરી રઘુ દેસાઈનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું કે, જગદીશ ઠાકોરના ઇશારે મારી વિરુદ્ધ કામગીરી થઈ અને જગદીશ ઠાકોરના માણસોએ મારી વિરોધ પ્રચાર કર્યો છે તેમણે કહ્યું કે, જગદીશ ઠાકોર પ્રદેશ પ્રમુખ પદ પરથી રાજીનામુ આપે અને જગદીશ ઠાકોર CM પદના સપના જોતા હતા તેમણે જણાવ્યું કે, બીજી બાજુ તેમના પક્ષના ઉમેદવાર હારે તે માટે કામ કર્યું તેમણે જણાવ્યું કે, જગદીશભાઈના CMના સપના રોળાઈ ગયા છે. તેમણે ફરી વાર આક્ષેપ કરતા ક્યું કે, જગદીશભાઈને કારણે કોંગ્રેસની કારમી હાર થઇ છે
રાધનપુરમાં જગદીશ ઠાકોરના કારણે હાર થઈ છેઃ રઘુ દેસાઈ
રાધનપુર કોંગ્રસ ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ કહ્યું કે, 'મેં પાર્ટી અધ્યક્ષ ખડગે સાથે ફોન પર વાતચીત કરી છે, આ ઉપરાંત મેં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પત્ર લખ્યો છે. મને હરાવવા જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યુ છે. આ અંગે મેં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માને પણ વાત કરી હતી. છતાં આ લોકો કોઈ પણ સંજોગો રોકાયા નહીં.'
રાધનપુરમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જામ્યો હતો જંગ
પાટણ જિલ્લાના રાજકીય જંગમાં હાઈ પ્રોફાઈલ ગણાતી રાધનપુર વિધાનસભા બેઠક ઉપર આ વખતે 11 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસના રઘુ દેસાઈ અને ભાજપના પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોર વચ્ચે મુખ્ય મુકાબલો હતો. આમ આદમી પાર્ટીએ પણ ઠાકોર સમાજના નવોદિત ચહેરાને મેદાનમાં ઉતાર્યો હતો. AAPએ રાધનપુર બેઠક પરથી લાલજી ઠાકોરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. પાટણ જિલ્લામાં રાધનપુર બેઠકથી ભાજપનાં લવિંગજી ઠાકોર જીતી ગયાં હતા.