રાફેલને લઇ વધુ એક ખુલાસો થયો છે. ફ્રાન્સ મીડિયાએ દાવો કર્યો છે કે, રાફેલ ડીલ બાદ અનિલ અંબાણીને ફ્રાંસ સરકારે ટેક્સમાં કેટલીક છૂટછાટ આપી હતી. રાફેલ ડીલની ઘોષણા બાદ ફ્રાન્સના ટેક્સ અધિકારીઓએ અનિલ અંબાણીના 143.7 મિલિયન યૂરોનો ટેક્સ માફ કરી દીધો.
રાફેલ મુદ્દે રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. હાલ દેશનું રાજકારણ રાફેલની આસપાસ જ ફરી રહ્યું છે. ત્યારે રાફેલને લઇ વધુ એક ખુલાસો થયો છે. ફ્રાન્સ મીડિયાએ દાવો કર્યો છે કે, રાફેલ ડીલ બાદ અનિલ અંબાણીને ફ્રાંસ સરકારે ટેક્સમાં કેટલીક છૂટછાટ આપી હતી.
રિપોર્ટમાં કહેવાયું છે કે, જ્યાં સુધી પીએમ મોદીએ 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરી ત્યારે ફ્રાન્સમાં રિલાયન્સને 151 મિલિયન યૂરો ટેક્સ ભરવાનો હતો. પરંતુ રાફેલ ડીલની ઘોષણા બાદ ફ્રાન્સના ટેક્સ અધિકારીઓએ અનિલ અંબાણીના 143.7 મિલિયન યૂરોનો ટેક્સ માફ કરી દીધો. અનિલ અંબાણીના ટેક્સ વિવાદને ત્યારે સુલજાવી લેવાયો જ્યારે ભારત અને ફ્રાન્સ સ્થિત ડસોલ્ટ એવિએશન રાફેલ ડીલ પર વાતચીત કરી રહ્યું હતું.
પહેલા ડીલ પહેલા રિલાયન્સ અટલાંટિક ફ્લૈગ ફ્રાંસે ટેક્સના રૂપમાં 7.6 મિલિયન યૂરો આપવાની રજૂઆત કરી હતી પરંતુ ફ્રાંસના અધિકારીઓએ ઇન્કાર કરી દીધો. પરંતુ રાફેલ ડીલ બાદ ફ્રાંસીસી ટેક્સ અધિકારીઓએ મૂળ 151 મિલિયન યૂરોની જગ્યાએ 7.3 મિલિયન યૂરો સ્વીકારી લીધા. આમ જે ટેક્સ વિવાદ હતો તે સુલજાવી લીધો. આમ ફ્રાંસે અનિલ અંબાણીના 143.7 મિલિયન યુરો ટેક્સને માફ કરી દીધો.