ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આજે પાંચ રાફેલ લડાકૂ વિમાનને અંબાલા એરબેઝ પર સત્તાવાર રીતે વાયુસેનામાં સામેલ કરી દેવામાં આવ્યાં. આ કાર્યક્રમના સંબોધનમાં રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે આપણી સરહદ પર જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેના માટે રાફેલ એક મોટો અને કડક સંદેશ છે.
ભારતીય વાયુસેનામાં પાંચ રાફેલ વિમાન સામેલ થયા છે. આ દરમિયાન રક્ષામંત્રી રાજનાથસિંહે ચીન અને પાકિસ્તાનના નામ લીધા વગર કહ્યું કે આંખો દેખાડનારાઓ માટે મોટો અને કડક સંદેશ છે.
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે આજે રાફેલનો સમાવેશ પુરી દુનિયા, ખાસ કરીને આપણા સાર્વભૌમત્વ તરફ નજર ઉઠાવનારાઓ માટે મોટો અને કડક સંદેશ છે. આપણી સરહદ પર જે રીતની પરિસ્થિતિનું નિર્માણ હાલના દિવસોમાં થયુ છે, જો હું સીધુ કહું કે બનાવામાં આવ્યું છે, તેઓ માટે આ ઇંડકશન ઘણું મહત્વનું છે.
In my recent foreign trip, I put the point of view of India in front of the world. I also made everyone aware of our resolve to not compromise our sovereignty&territorial integrity under any circumstances. We're committed to doing everything possible towards this:Defence Minister https://t.co/bXuprCzobu
રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે અમે એ સારી રીતે જાણીએ છીએ કે બદલાતા સમયની સાથે આપણે આપણી જાતને પણ તૈયાર કરવી પડે. મને એ કહેતા ગર્વ થાય છે, કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મોટી પ્રાથમિકતા રહી છે. આ દરમિયાન તેમની સામે મુશ્કેલીઓ પણ આવી, પરંતુ પ્રધાનમંત્રીની મજબૂત ઇચ્છાશક્તિ સામે તે બધી પરાસ્ત થઇ ગઇ.
રક્ષામંત્રી રાજનાથસિંહેએ કહ્યું કે અમારી જવાબદારી માત્ર આપણી સરહદ સુધી સીમિત નથી, અમે ઇંડો પેસેફિક રિઝન અને ઇંડિયન ઓસન રિઝનમાં પણ સતત એક જવાબદાર દેશ તરીકે વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રિય સમુદાય સાથે પરસ્પર સહયોગ માટે કટિબદ્ધ છે.