સુપ્રીમ કોર્ટમાં રાફેલ (Rafale) સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ (CJI Ranjan Gogoi)એ કહ્યું, કે એમણે હેરાન છે કે તેની સાથે જોડાયેલા મામલાની તારીખ કેવી રીતે બદલાઇ ગઇ. CJIને વાંધો એ વાતે હતો કે રાફેલ પૂર્વ આવેલા નિર્ણયની સમીક્ષા માટે દાખલ પુનર્વિચાર અરજી અને રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના મામલાની સુનાવણીની તારીખ કેવી રીતે બદલાઇ ગઇ.
સુપ્રીમ કોર્ટમાં રાફેલ (Rafale) સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ (CJI Ranjan Gogoi)એ કહ્યું, કે એમણે હેરાન છે કે તેની સાથે જોડાયેલા મામલાની તારીખ કેવી રીતે બદલાઇ ગઇ. CJIને વાંધો એ વાતે હતો કે રાફેલ પૂર્વ આવેલા નિર્ણયની સમીક્ષા માટે દાખલ પુનર્વિચાર અરજી અને રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના મામલાની સુનાવણીની તારીખ કેવી રીતે બદલાઇ ગઇ. જ્યારે આ પહેલા બેન્ચે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે બંને મામલાની સુનાવણી એક જ તારીખે કરવામાં આવશે.
પ્રશાંત ભૂષણ તરફથી રાફેલ મામલામાં દાખલ રિવ્યૂ પિટિશન સુપ્રીમ કોર્ટના તે નિર્ણય સાથે જોડાયેલી છે, જેમાં ફ્રે્ન્ચ એવિએશન ફર્મ દસૉલ્ટ સાથે 36 રાફેલ વિમાન સોદાની મંજૂરી સાથે જોડાયેલા નિર્ણય પર ફરીથી ફેરવિચારણા કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ અવમાનના મામલો રાહુલ ગાંધી સાથે જોડાયેલો છે. રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ અવમાનના અરજી પર સુપ્રીમ કોર્ટે તેમને નોટિસ આપી ચૂકી છે.
30 એપ્રિલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઇની અધ્યક્ષતાવાળી બેન્ચે કેસની સુનાવણી દરમિયાન ઓપેન કોર્ટમાં ક્હ્યું હતું કે રાફેલ ઓર્ડની સમીક્ષા અને અવમાનના સાથે જોડાયેલી અરજીઓ પર સોમવારે સુનાવણી થશે. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટની વેબસાઇટ પર આ આદેશની એક કોપી પણ પબ્લિશ થઇ, જેમાં સોમવારે રિવ્યૂ પિટીશન પર વાત કરવામાં આવી હતી. જ્યારે રાહુલ ગાંધી વિરુદ્ધ અવમાનના મામલાની સુનાવણી માટે 10 મેની તારીખનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તારીખ સમર વેકેશન શરૂ થવાના એક દિવસ પહેલાની છે.
જસ્ટિસ એસકે કોલ અને કેએમ જોસેફની પીઠએ પણ હવે 10 મેની બપોરે 2 વાગ્યે સુનાવણી માટે બંને મામલાને સૂચીબદ્ધ કરી છે. તેથી સોમવારે સુનાવણી દરમિયાન અરજી કરનાર પ્રશાંત ભૂષણે બેન્ચને જણાવ્યું કે તે રિવ્યૂ અરજીના પક્ષમાં દલિલ રજૂ કરવા માટે તૈયાર છે. એમણે સાથે એ પણ કહ્યું કે તેમના સહ અરજીકર્તા અરૂણ શોરીને એક અલગ આવેદન માટે પોતાની દલિલ રજૂ કરવાની અનુમતિ આપવામાં આવે. જે અજ્ઞાત સરકારી સેવકો માટે દંડની માંગ કરે છે. જેમણે કથિત રૂપે રાફેલ મામલાની ગત સુનાવણી દરમિયાન કોર્ટને ગુમરાહ કરી હતી.
14 ડિસેમ્બર 2018ના દિવસે પોતાના નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે માન્યુ હતું કે ફ્રાન્સથી 36 રાફેલ જેટ વિમાનની ખરીદીમાં નિર્ણય લેવાની પ્રક્રિયા પર શંકાનું કોઇ કારણ દર્શાવવામાં આવ્યું નહોતું. અને કથિત અનિયમિતતાની તપાસની માંગ કરતી તમામ અરજીને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે એ પણ કહ્યું, એ બાબતનો કોઇ પુરાવો નથી કે આ મામલે કોઇ ખાનગી સંસ્થાને ફાયદો પહોંચાડવામાં આવ્યો.