ભારતીય વાયુસેનાના બેડામાં હવે 5 રાફેલ પણ સામેલ થઈ જશે. ફ્રાંસથી 5 રાફેલ ફાઈટર જેટે ભારત માટે ઉડાન ભરી લીધી છે. પાંચેય રાફેલ પ્લેનને 7 ભારતીય પાયલટ અંબાલા એરબેઝ લઈને આવી રહ્યા છે. પાંચેય ફાઈટર પ્લેન 28 જુલાઈએ UAEના અલ ડાફરા એરબેઝ પર ઉતરાણ કરશે.
ફ્રાંસથી 5 રાફેલે ભારત માટે ભરી ઉડાન
5 રાફેલને 7 ભારતીય પાયલટ લાવી રહ્યા છે ભારત
29 જુલાઈએ રાફેલ અંબાલા એરબેઝ પર કરશે લેન્ડિંગ
જ્યાં રાફેલનું ચેકિંગ કર્યા બાદ ફ્યૂલ ભરવામાં આવશે અને 29 જુલાઈએ રાફેલ ભારત પહોંચશે. અંબાલા એરબેઝ પર રાફેલને તૈનાત કરવામાં આવશે.. ભારતે ફ્રાંસ પાસેથી 36 રાફેલ વિમાનની ખરીદી માટે કરાર કર્યા છે. જેમાંથી 5 વિમાનની ડીલીવીરી કરવામાં આવી છે.
અંબાલા એરબેઝ પર પહોંચશે રાફેલ
અંબાલા એરબેઝ પર પહોંચ્યા બાદ રાફેલ વિમાનને મિસાઈલથી સજ્જ કરવામાં આવશે. રાફેલમાં સ્કેલ્પ, મેટેઓર અને હૈમર મિસાઈલ અટેચ કરી શકાશે.
5 રાફેલ વિમાનને લીલીઝંડી દેખાડતા ભારતીય દૂતાવાસે કહ્યું કે નવા રાફેલ વિમાન ભારતીય વાયુસેનાની યુદ્ધ ક્ષમતામાં વધારો કરશે.
ભારતને હવાનું બ્રહ્માસ્ત્ર મળવા જઈ રહ્યું છે. ફ્રાંસના ઘાતક લડાકૂ વિમાન રાફેલનો પહેલો જથ્થો ભારત પહોંચી રહ્યો છે. મળતી માહિતી અનુસાર ચીનથી તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને લદ્દાખ સેક્ટરમાં તેને રાખવામાં આવી શકે છે. પહેલાં 4 વિમાન આવવાના હતા પણ એરફોર્સની રિકવેસ્ટના આધારે ફ્રાંસે 5 રાફેલ વિમાન જુલાઈ સુધી આપવાનું જણાવ્યું હતું. લદ્દાખમાં ભારત દિવસ હોય કે રાત, શિયાળો હોય કે ચોમાસુ, દરેક સીઝનમાં હુમલો કરવાની ક્ષમતા ડેવલપ કરી રહ્યું છે. રાફેલ તેમાં સૌથી મોટું હથિયાર સાબિત થઈ શકે છે.