રાફેલ ડીલની તપાસની માંગ વાળી અરજીઓને સુપ્રીમ કોર્ટ તરફથી ફગાવી દેવાયા બાદ પણ તેના પર આરોપોનો સિલસિલો યથાવત છે. એક તરફ બીજેપીએ સવાલ ઉઠાવનાર પર માફી માંગવા કહ્યું છે તો કોંગ્રેસે હવે જેપીસી તપાસને જરૂરી બતાવી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી રાફેલ ડીલની સુનાવણી કરનારી બેચમાં સામેલ જસ્ટિસ જોસેફના નિવેદનનો ઉલ્લેખ કરી કહ્યું છે કે ટોચની કોર્ટે તપાસના દરવાજા ખોલી નાંખ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બીજેપી પર હુમલો બોલતા કહ્યું કે તે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ઉજવણી કરી રહી છે, પરંતુ આ સેલિબ્રેશનનો નહીં પરંતુ ઇન્વેસ્ટિગેશનનો સમય છે.
Justice Joseph of the Supreme Court has opened a huge door into investigation of the RAFALE scam.
An investigation must now begin in full earnest. A Joint Parliamentary Committee (JPC) must also be set up to probe this scam. #BJPLiesOnRafalepic.twitter.com/JsqZ53kZFP
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું, 'સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જોસેફ રાફેલ કૌભાંડની તપાસ માટે દરવાજો ખોલ્યો છે. તેના પર તપાસ શરૂ થવી જોઇએ. આ કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ પણ ગઠિત કરવાની જરૂર છે.' કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ મામલા પર મીડિયા સાથે વાત કરતા કહ્યું કે સુપ્રીમ કોર્ટનો નિર્ણય એ સાબિત કરે છે કે રાફેલ કેસની ગૂનાકિય તપાસનો રસ્તો સુપ્રીમ કોર્ટે ખોલી દીધો છે.
તેમણે કહ્યું કે બીજેપી માટે આ ઉજવણી કરવાનો નહીં પરંતુ ગૂનાકિય તપાસ પર આગળ વધવાનો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમારા હાથ બંધારણીય મર્યાદામાં બંધાયેલા હોઇ શકે છે. પરંતુ અન્ય કોઇ એજન્સીની આમ મર્યાદા નથી.