કેન્દ્ર સરકારે સોમવારનાં રોજ સુપ્રીમ કોર્ટને કહ્યું કે, તેઓ રાફેલ કરાર પર મંગળવારનાં રોજ યોજાનારી સુનાવણીને ટાળી દે કેમ કે તેઓને સોગંધનામું દાખલ કરવા માટે હજી વધુ સમયની જરૂરિયાત છે. મુખ્ય જજનાં નેતૃત્વવાળી પીઠ સમક્ષ સરકારનાં અનુરોધનો ઉલ્લેખ કરવામાં આવ્યો.
કેન્દ્રએ અરજીઓ પર જવાબ દાખલ કરવાની જરૂરિયાતને આધાર જણાવતા રાફેલ મામલાની સમીક્ષા પર થનારી સુનાવણી સ્થગિત કરવાનો પત્ર પ્રસારિત કરવા માટે પણ કોર્ટની સહમતિ માંગી છે. કોર્ટે કેન્દ્રને સુનાવણી સ્થગિત કરવાનાં પત્રને મામલાને પક્ષો સુધી મોકલવાની અનુમતિ આપી દીધી છે. કોર્ટ સરકારનાં અનુરોધ પર બાદમાં નિર્ણય કરશે.
Central Government seeks time to file a fresh affidavit in the Rafale review petition case and asks the court to defer the hearing which was fixed for tomorrow to allow it to file the affidavit. pic.twitter.com/kjpa7zVlA4
મુખ્ય જજ રંજન ગોગોઇનાં નેતૃત્વવાળી પીઠે કેન્દ્ર સરકારનાં વકીલને પાર્ટીઓની વચ્ચે તે પત્રને પ્રસારિત કરવાની અનુમતિ આપી દીધી છે. આ પહેલાં કોર્ટે 10 એપ્રિલનાં રોજ યોજાનાર સુનાવણી દરમ્યાન કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલ પ્રારંભિક આપત્તિઓને ખારીજ કરી નાખી હતી. કેન્દ્રએ દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કરતા કહ્યું હતું કે, રાફેલ લડાકુ વિમાનનાં કરારની બીજી વાર તપાસ માટે આની પર ભરોસો ના કરી શકાય. કોર્ટે એક મતથી કહ્યું હતું કે જે દસ્તાવેજ સાર્વજનિક થઇ ગયા છે તેનાં આધાર પર અમે અરજી પર સુનાવણી માટે તૈયાર છીએ.
કોર્ટે કહ્યું હતું કે જે કાગળ કોર્ટમાં રાખવામાં આવેલ છે તે માન્ય છે. સરકારે આ દસ્તાવેજો પર પોતાનો વિશેષાધિકાર દર્શાવતા કહ્યું હતું કે, અરજીકર્તાએ આને અવૈદ્ય રીતે હાંસલ કરેલ છે. સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી રાફેલ નિર્ણય પર સમીક્ષા અરજીની સુનાવણીનો સવાલ છે તો તેનાં પર બાદમાં વિસ્તૃત સુનાવણી કરવામાં આવશે. આની સુનાવણી માટે તેઓ નવી તારીખ નક્કી કરશે. રાફેલ મામલામાં કોર્ટે એ નક્કી કરવાનું હતું કે આનાંથી સંબંધિત રક્ષાનાં દસ્તાવેજ લિક થયાં છે. તે આધાર પર પુનર્વિચાર અરજી પર સુનાવણી કરવામાં આવી શકે છે અથવા નહીં.