દેશમાં રાફેલ ડિલને લઈ રાજકારણ ખુબ ગરમાયું છે ત્યારે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે રાફેલ ડીલ મામલે ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સ કંપનીનું નામ પ્રસ્તાપીત કર્યું હતું અને તે સમયે દૈસો એવિએશન કંપની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો.
ઓલાંદે વધુમાં કહ્યું કે ભારત સરકારે જે કંપનીનું નામ આપ્યું હતું તે કંપની સાથે દૈસો કંપનીએ ટેલિફોનીક વાતચિત પણ કરી હતી ઓલાંદની આ પ્રતિક્રિયા સરકારના એ નિવેદનને ખોટુ સાબીત કરી શકે છે. જેમાં કહેવામાં આવ્યું હતું કે હવે બંને કંપનીઓ વચ્ચે માત્ર પ્રાઈવેટ ફર્મ પર વાતચીત થઈ હતી અને સરકારની આમા કોઈ ભુમિકા ન હતી.
સમગ્ર અહેવાલ પર નજર કરીએ તો દેશમાં રફાલ ડીલ પર ચાલી રહેલા રાજકીય જંગમાં એક નવો જ વળાંક આવ્યો છે. ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદએ કહ્યું છે કે રફાલ ડીલમાં ભારત સરકારે અનિલ અંબાણીની રિલાયન્સના નામનો પ્રસ્તાવ મુક્યો હતો.
દસોલ્ટ એવિએશન કંપનીની પાસે બીજો વિકલ્પ ન હતો. ફ્રાંસના એક મેગેઝીનમાં આપેલા ઇન્ટરવ્યુમાં ઓલાંદે કહ્યું કે રિલાયન્સની પસંદગીમાં દસોલ્ટ એવિએશનની કોઇ ભૂમિકા નથી. ભારત અને ફ્રાંસ વચ્ચે થયેલી રફાલ યુદ્ધ વિમાનોની ડીલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસ્વા ઓલાંદના નિવેદને સનસનાટી મચાવી દીધી છે.
ઓલાંદેએ રફાલ ડીલમાં અનિલ અંબાણીની રિલાયન્સની એન્ટ્રી પર ભારત સરકારના દાવાને ફગાવી દીધો છે. ફ્રાંસના એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યુમાં ઓલાંદે જણાવ્યું કે ભારત સરકાર તરફથી જ અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સનું નામ આપવામાં આવ્યું હતુ. તેને પસંદગીમાં દસોલ્ટ એવિએશનની કોઇ ભૂમિકા નથી.
ભારત સરકાર તરફથી જે સર્વિસ ગ્રુપનું નામ આપવામાં આવ્યું દસોલ્ટે તેની સાથે વાતચીત કરી. દસોલ્ટે અનિલ અંબાણીનો સંપર્ક કર્યો. અમારી પાસે કોઇ વિકલ્પ ન હતો. અમને જે વાર્તાકાર આપવામાં આવ્યા. અમે તેનો સ્વિકાર કર્યો. સમગ્ર વિવાદ ફ્રેન્ચ ન્યૂઝ વેબસાઇટ મીડિયાપોર્ટમાં શુક્રવારે છપાયેલા એક લેખ બાદ સામે આવ્યો.
ફ્રેન્ચ ભાષામાં છપાયેલા આ લેખમાં રફાલ ડીલને લઇને નવા ખુલાસા કરવામાં આવ્યા. ફ્રેન્ચ ભાષામાં લખેલા લેખને દક્ષિણ એશિયન પત્રકાર જુલિયન વોયૂસોએ ટ્વિટ દ્વારા ટ્રાન્સલેશન કરીને પોસ્ટ કર્યુ. જેમાં પત્રકારે જણાવ્યું કે ઓલાંદેએ ભારત સરકારના નિવેદનનું ખંડન કર્યું છે.
ઓલાંદે મુજબ અનિલ અંબાણીને દસોલ્ટે નહોતા નિમ્યા. તેમની પાસે કોઇ વિકલ્પ ન હતો. જોકે ઓલાંદેના નિવેદન બાદ રક્ષા મંત્રાલય તરફથી તુરંત સ્પષ્ટતા સાથેનું નિવેદન સામે આવ્યું. જેમાં રક્ષા મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિ દ્વારા અપાયેલા નિવેદનવાળા રિપોર્ટની પુષ્ટી કરવામાં આવી રહી છે.
તે વાત ફરી દોહરાવવામાં આવે છે કે આ સમજૂતીમાં ન તો ભારત સરકાર કે ન તો ફ્રાંસ સરકારની કોઇ ભૂમિકા હતી. જો ઓલાંદેનું નિવેદન યોગ્ય હોય તો તેમની વાત મોદી સરકારના તે દાવાને ફગાવે છે કે જેમાં કહેવામાં આવ્યું હતુ કે દસોલ્ટ અને અનિલ અંબાણીની રિલાયન્સની વચ્ચે સમજૂતી એક કોમર્શિયલ પેક્ટ હતી. જે બે ખાનગી કંપનીઓ વચ્ચે થઇ હતી. જેમાં સરકારની કોઇ ભૂમિકા ન હતી.