કોંગ્રેસ મહાસચિવ અને ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી ભલે કોંગ્રેસના ડેમેજ કન્ટ્રોલમાં લાગી હોય પરંતુ જૂના કોંગ્રેસીઓની કથિત ઉપેક્ષાથી વિદ્રોહ વધી રહ્યો છે. ખુદ તેમની માતા સોનિયા ગાંધીના સંસદીય વિસ્તાર રાયબલેરીમાં કોંગ્રેસમાં વિદ્રોહના સૂર સંભળાઈ રહ્યા છે.
... નહીં તો એ જ હાલત થશે જે અમેઠીની થઈ- અનુજકુમાર
કોંગ્રેસી ગુરુવારે વિદ્રોહી થઈ ગયા
હવે અમારી લડાઈ જૂના કાર્યકર્તાઓના સન્માનની છે- શિવકુમાર
કોંગ્રેસી ગુરુવારે વિદ્રોહી થઈ ગયા
સંગઠનમાં નવા લોકોને મહત્વ અને રાજીવ- ઈન્દિરા ગાંધી સમયના કોંગ્રેસિયોને સાઈડ કરવાને લઈને કોંગ્રેસી ગુરુવારે વિદ્રોહી થઈ ગયા છે. યૂથ કોંગ્રેસના પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અનુજ કુમાર સિંહે મીડિયાને કહ્યું કે અમે લોકોએ ચૂંટણી લઈને પોતાના દમ પર હજારો લોકોને પાર્ટી મેમ્બર બનાવી રાયબલેરીમાં કોંગ્રેસને મજબૂત કરી છે. પરંતુ આજે અમારી જ ઉપેક્ષા કરાઈ રહી છે.
... નહીં તો એ જ હાલત થશે જે અમેઠીની થઈ
અનુજ કુમાર સિંહનું કહેવું છે કે અમને લોકોને કોઈ જોઈ નથી રહ્યુ. કેટલાક ચાપલુસ, દલાલ કોંગ્રેસમાં છે જે પૂરી રીતે જે કોંગ્રેસી વિચારધારાના લોકો છે તેમને હટાવવામાં માંગે છે. તેમણે કહ્યું કે મારી વિનંતી છે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી મારી વાત સમજે નહીં તો એ જ હાલત થશે જે અમેઠીની થઈ.
કોંગ્રેસમાં વિદ્રોહના સુર
ત્યારે પૂર્વ સચિવ ઉત્તર પ્રદેશ કોંગ્રેસ શિવકુમાર પાંડેએ કહ્યું કે હવે નવા સંગઠનોમાં જે વ્યવસ્થા છે તેમાં જૂના કોંગ્રેસી છે. રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીના સમયના લોકોને સાઈડ કરી દેવામાં આવ્યા છે. નવા કોંગ્રેસી જે કોંગ્રેસના પ્રાથમિક સભ્યો નથી તેમને ઉંચા ઉંચા પદ પર બેસાડ્યા છે. અમારા લોકોની નારજગી છે કે અમારા ન્યાય પંચાયતના અધ્યક્ષોએ પોતાની કેટલીક વાતો હાઈકમાન સુધી પહોંચાડવા ઈચ્છી તો તેમને બરતરફ કરી દેવાયા છે. તેમના સમર્થનમાં 35 કોંગ્રેસીઓએ પોતાના પદમાંથી રાજીનામુ પણ આપી દીધું છે.
હવે અમારી લડાઈ જૂના કાર્યકર્તાઓના સન્માનની છે.
શિવકુમાર પાંડેએ કહ્યું કે હું કાલે કોંગ્રેસમાં હતો. આજે પણ કોંગ્રેસમાં છુ અને મરતા સુધી કોંગ્રેસમાં રહીશ. કોંગ્રેસનો નારો છે ભૂતકાળના પાયા પર ભવિષ્યનું નિર્માણ, પરંતુ આજે ભૂતકાળ ભૂસાઈ રહ્યો છે. મારા સમયમાં જેમણે કોંગ્રેસને પરસેવાથી સીંચા તેમને કાઢી મુકવામાં આવ્યા છે હવે અમારી લડાઈ જૂના કાર્યકર્તાઓના સન્માનની છે.