નાટોના મુદ્દા પર યુક્રેન અને રશિયાની વચ્ચે છેડાયેલા જંગમાં ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાના કબ્જા બાદ ચેન્રોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિએશનનું લેવલ 100 ગણુ વધી ગયું છે.
રશિયાએ કરેલા આક્રમણના આવી શકે છે ભયંકર પરિણામ
ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિએશન લેવલ વધ્યું
ભયંકર તબાહી મચાવી શકે છે
નાટોના મુદ્દા પર યુક્રેન અને રશિયાની વચ્ચે છેડાયેલા જંગમાં ડરામણા સમાચાર સામે આવી રહ્યા છે. યુક્રેને દાવો કર્યો છે કે, રશિયાના કબ્જા બાદ ચેન્રોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિએશનનું લેવલ 100 ગણુ વધી ગયું છે. જેનાથી યુક્રેન, બેલારૂસ, રશિયા, પોલેન્ડ સહિત આજૂબાજૂના દેશની વસ્તીને મોટો ખતરો ઊભો થઈ ગયો છે.
100 ગણું વધ્યું રેડિએશનનું લેવલ
યુક્રેનની ન્યૂક્લિયર એનર્જી રેગ્યુલેટરી એજન્સીએ દાવો કર્યો છે કે, ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં રેડિએશનનું સામાન્ય લેવલ 3150 હોય છે. પણ રશિયાની સેનાના કબ્જા બાદ આ પ્લાન્ટમાં રેડિએશનનું લેવલ વધીને 92,700 થઈ ગયું છે. એજન્સીએ કહ્યું છે કે, રેડિએશન વધતાં યુક્રેન સહિત આજૂબાજૂના પાડોશી દેશોની વસ્તી માટે મોટો ખતરો છે, અને તેના માટે જવાબદાર ફક્ત રશિયા છે.
ચેર્નોબિલ ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનો મામલો
આપને જણાવી દઈએ કે, ચેર્નોબિલ ન્યૂક્લિયર પ્લાન્ટ યુક્રેનના પ્રિપયેત શહેરમાં આવેલો છે. આ શહેરને સોવિયત સંઘના સમયમાં 1970માં વસાવ્યો હતો. ચેર્નોબિલ પ્લાન્ટ રાજધાની કીવથી 108 કિમી દૂર ઉત્તરમાં આવેલો છે. જ્યારે બેલારૂસની સરહદથી તેનું અંતર ફક્ત 20 કિમી છે.
1986માં થયો હતો પ્લાન્ટમાં વિસ્ફોટ
સોવિયત સંઘે ચેર્નોબિલમાં ન્યૂક્લિયર પ્લાન્ટ લગાવ્યો હતો. એપ્રિલ 1986માં આ પ્લાન્ટનો ચોથા રિએક્ટરમાં વિસ્ફોટ થયો અને છત ઉડી ગઈ હતી. તેની સાથે સમગ્ર શહેરમાં ઝડપથી રેડિએશન ફેલાઈ ગયું હતું. શરૂઆતમાં અધિકારીઓએ આ ઘટનાને છુપાવી હતી. લગભગ દોઢ દિવસ બાદ અધિકારીઓએ ઈમરજન્સી જાહેર કરીને શહેરમાં રહેતા 50 હજાર લોકોને તાત્કાલિક ઘર છોડીને અન્ય શહેરમાં જવાનો આદેશ આપ્યો હતો.
લગભગ 90 હજાર લોકોના થયા હતા મોત
આ દુર્ઘટનામાં ન્યૂક્લિયર પ્લાન્ટ એકદમ ધ્વસ્ત થઈ ગયો હતો. આ ઘટનામાં મરનારા લોકોના આંકડો આજ સુધી સામે આવ્યો નથી. પણ એવું મનાય છે કે, પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લગભગ 90 હજારથી વધારે લોકોના આ દુર્ઘટનામાં મોત થયા હતા.