ભારતમાં દિવાળી હોળી ગણેશોત્સવ જેવા અનેક તહેવારો છે. જે ખૂબ જ પ્રસિદ્ઘ છે અને દેશભરમાં તેને ધામધૂમ પૂર્વક ઉજવણી થાય છે. જ્યારે મહાનિશા નવરાત્રિ અને શિવરાત્રિ જેવા કેટલાક પર્વ છે તેમાં ઉત્સવ કરતા વધારે ઉપાસના કરવી જોઇએ. આ ઉપાસના તમારામાં રહેલી દિવ્ય ચેતના અને તમારું જોડાણ કરવા માટે મદદરૂપ થાય છે. આ બધા વચ્ચે ભારતમાં કેટલાક એવા પણ મહાપર્વ છે. જે ખૂબ જ પ્રભાવી અને પ્રચલિત કરતા પરંતુ કાળક્રમે લુપ્ત થઇ ગયા છે.
આજે આવા પર્વો વિશે લોકોને ભલે પૂરતી ખબર ન હોય તેને ઉજવણી કરવામાં આવતી ન હોય પરંતુ ભૌતિક ઉન્નિત અને આત્મિક શક્તિના વિકાસ માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવું જ એક ગુપ્ત પર્વે છે જેને આજે પણ ઉત્તર ભારત અને પૂર્વ ભારતના થોડાઘણા અંશે ઉજવવામાં આવે છે. તેનું નામ છે સુરૈયા. આ પર્વ સામાન્ય લોકોમાં ખાસ મહત્વ નથી ધરાવતું પણ સિદ્ઘોં અને સાધકો વચ્ચે તેનું ભારે મહત્વ હોય છે.
સુરૈયા આ વખતે ભાદરવા સુદ અષ્ટમી એટલે કે 17 સપ્ટેમ્બરથી પક્ષની અષ્ટમી જે 2 ઓક્ટોબરના રોજ આવશે ત્યાં સુધી છે. આ સમગયાળાને જીવનમાં પ્રકૃતિના સૂર પૂરવાવાળું કહેવાય છે. જુદા-જુદા પંથો અને મતોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પરંતુ દરેકનો ઉદ્દેશ્ય આ પર્વ દ્વારા અપાર સિદ્ઘિ મેળવવાનો હોય છે. કહેવાય છે કે આ પર્વ દ્વારા અપાર સિદ્ઘિ મેળવવાનો હોય છે. કહેવાય છે કે આ પર્વનો પ્રયોગ ભગવાન રામ પરશુરામ દુર્વાસા વિશ્વામિત્ર બુદ્ઘ મહાવીરથી લઇને આચાર્ય ચાણક્યે પણ કર્યો હતો.
પ્રાચીન કાળમાં ઉત્તરપ્રદેશની નેપાળ સુધીના સમગ્ર પ્રદેશમાં આ પર્વની ઉજવણી સાધના દ્વારા કરવામાં આવતી હતી. જેની પાછળ માન્યતા હતી કે વૈજ્ઞાનિક અને આધ્યાતમિક સમૃદ્ઘિના સૂત્રો આ 16 દિવસ જ સમાહિત છે. આ દિવસોને યાંત્રિક તાંત્રિક વૈજ્ઞાનિક આત્મિક એટલે કે સ્વજાગરણથી લઇને સમૃદ્ઘિની પ્રાપ્તિ સુધી ખૂબ જ અસરદાર માનવામાં આવે છે. આત્મ જાગૃતિના મહાપર્વને લક્ષ્મી સાધવાનું પર્વ માનવામાં આવે છે. જેથી દેશમાં અનેક જગ્યાએ આ દિવસો દરમિયાન ખાસ પ્રકારે લક્ષ્મીની ઉપાસના કરવામાં આવે છે.
આ સત્ય છે કે આ દિવસોમાં યક્ષિણી અને યોગિની સાધનાનું અતિમહત્વ છે. આધાત્મિક ગ્રંથોમાં યક્ષ યક્ષિણીઓને સ્થૂળ જંગમ સમૃદ્ઘિના નિયંતા માનવામાં આવ્યા છે. કુબેર યક્ષરાજ છે અને લક્ષ્મી યક્ષિણી છે. આ માટે લક્ષ્મથી સંબંધિત ઉપસના માટે દિવાળી નહી પણ આ 16 દિવસને તંત્રમાર્ગના મહત્વપૂર્ણ કહેવામાં આવ્યા છે. જેમને અપાસ સમુદ્ઘિની ઇચ્છા હોય તેમણએ આ દિવસે યક્ષ યક્ષિણીઓની ઉપસાના અવશ્ય કરવી જોઇએ. આ 16 રાત્રિઓ યક્ષ યક્ષિણી યોગિની અને દૈવિક ઉર્જાઓ સાથે ઐંકાર સૌ:કાર શ્રીંકાર કલીંકાર અને અન્ય બીજ મંત્રોની અર્ચના કરવાથી સમૃદ્ધિના અપાર દ્વાર ખોલી દે છે.
રાધાષ્ટમીના દિવસ એક મહાપર્વ છે. શાસ્ત્રોનુસાર આ તિથિએ રાધાશ્રીનો પ્રગટ થઇ હતી.