રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 17 એપ્રિલે થઇ રહ્યાં છે. લગ્ન આરકે હાઉસમાં થશે અને 14 એપ્રિલથી લગ્ન પહેલાના કાર્યક્રમો શરૂ થઇ જશે. પરંતુ શું તમને ખબર છે કે લગ્ન અને લગ્ન પહેલા ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવ્યાં છે, જેનાથી તેમના લગ્નના કોઈ પણ સમાચાર અથવા ફોટો મીડિયામાં અથવા સોશિયલ મીડિયામાં લીક નહીં થાય.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન 17 એપ્રિલે થશે
લગ્નના કોઈ પણ સમાચાર સોશિયલ મીડિયામાં લીક નહીં થાય
વેડિંગ ટીમમાંથી નૉન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યો
રણબીર અને આલિયાની લગ્નની કોઈ ખબર લીક નહીં થાય
વેડિંગ ટીમમાંથી નૉન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યો છે તો બેન્કવેટ હોલમાં પણ ઘણા નિયમ છે, જેનાથી સંબંધીદાર ખુલીને મસ્તી નહીં કરી શકે. રણબીર અને આલિયાના લગ્નની આમ તો ઘણી અપડેટ્સ સામે આવી રહી છે પરંતુ તેની વેડિંગ ટીમમાંથી નૉન ડિસ્ક્લોઝર એગ્રીમેન્ટ સાઇન કરાવવામાં આવ્યો છે. જે હેઠળ તેમને લગ્ન પર કોઈ પણ વાત કરવી નથી.
લગ્નની તસ્વીરો નહીં થાય લીક
વેડિંગ ટીમ પર એવો પણ પ્રતિબંધ છે કે તેઓ કોઈ પણ રીતે લગ્ન અથવા તેનાથી સંબંધિત કોઈ તસ્વીર ક્લિક નહીં કરી શકે. આ ટીમના લોકો કોઈ પણ લગ્ન સાથે જોડાયેલી તસ્વીર મીડિયામાં લીક કરી શકતા નથી.
રણબીર કપૂરે તેની બિલ્ડિંગમાં એક બેન્કવેટ હોલ બુક કર્યો છે. આ હોલમાં 40-45 લોકો આવી શકે છે. પરંતુ અભિનેતા મુજબ એક સમયમાં આ હોલમાં 15થી વધુ લોકો નહીં હોય.
બેન્કવેટ હોલમાં થશે ઓછો અવાજ
બેન્કવેટ હોલમાં વધુ અવાજ નહીં થાય. એટલેકે બિલ્ડિંગમાં રહેતા બાકી લોકોને કોઈ મુશ્કેલી ના થાય. કારણકે તેમાં લગ્ન પહેલાના કાર્યક્રમ થશે અને પછી બેચલર પાર્ટી પણ થઇ શકે છે.