વડાપ્રધાન નરેદ્ર મોદી(PM Modi)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન એમણે સલાહ આપી હતી કે વાદળ અને વરસાદ થવાને કારણે ભારતીય વાયુસેના (Indian Air Force)ના વિમાન પાકિસ્તાનની રડારમાં આવવાથી બચી શકે છે. પીએમ મોદીના આ નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે.
વડાપ્રધાન નરેદ્ર મોદી(PM Modi)એ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બાલાકોટ એરસ્ટ્રાઇક દરમિયાન એમણે સલાહ આપી હતી કે વાદળ અને વરસાદ થવાને કારણે ભારતીય વાયુસેના (Indian Air Force)ના વિમાન પાકિસ્તાનની રડારમાં આવવાથી બચી શકે છે. પીએમ મોદીના આ નિવેદનને લઇને રાજકારણ ગરમાયું છે. કેટલાક તેની આલોચના કરી રહ્યા છે તો કેટલાક વ્યંગ્યાત્મક ટીપ્પણી કરી રહ્યા છે.
ટીવી ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ બાલાકોટ એર સ્ટ્રાઇક પર કહ્યું, "હું દિવસભર વ્યસ્ત હતો. વાર મેમોરિયલનું ઉદઘાટન હતું. ચુરુમાં રેલી કરવા ગયો હતો. મારો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. હું ટીમ પ્લેયર છું. જેને કામ અસાઇન કરું છું તે કરે છે, આ કામ ટીમે કર્યું હતું. રાત્રે 9 વાગ્યે મે રિવ્યૂ કર્યો, ફરી રાત્રે 12 વાગ્યે રિવ્યૂ કર્યો. અમારી સામે સમસ્યા હતી કે તે સમયે હવામાન ખરાબ થઇ ગયો હતો. આ વાત હું પહેલીવાર બોલી રહ્યો છું. અચાનક એક સજેશન મળ્યું કે ડેટ બદલી નાંખીએ તો ? મેં કહ્યું આ હવામાનમાં આપણે રડારથી બચી શકીએ છીએ. મેં કહ્યું કે આકાશમાં વાદળ છે અને વરસાદ થઇ રહ્યો છે. આ આ અમારા માટે ફાયદાકારક બની શકે છે'.
પીએમ મોદીના ઇન્ટરવ્યૂના આ અંશને BJP ઓફિશિયલ ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું હતું જેને બાદમાં ભાજપે હટાવી લીધું હતું. હવે તે ભાજપની ટાઇમલાઇનમાં નથી. પરંતુ પાર્ટીએ એક મિનિટનો એક વીડિયો શેર કર્યો છે. જેનું કેપ્શન હતું, 'એર સ્ટ્રાઇકની કહાની, પીએમ મોદીની જુબાની' વીડિયોને હટાવવામાં નથી આવ્યો.
Modi's words are truly shameful. Most importantly, because they insult our Air Force as being ignorant and unprofessional. The fact that he is talking about all this is itself anti-national; no patriot would do this. pic.twitter.com/jxfGmdmlx7
આ મામલે વામપંથી નેતા સીતારામ યેચૂરીએ કહ્યું, 'રાષ્ટ્રીય સુરક્ષાની સાથે છેડછાડ કરી શકાય નહીં. મોદીજીનું આ પ્રકારે બેદરકારીભર્યું નિવેદન ખુબજ નુકશાનદાયક છે. એવો કોઇ વ્યક્તિ ભારતનો પીએમ ન રહી શકે.'
Jumla hi fekta raha paanch saal ki sarkar mein,
Socha tha cloudy hai mausam,
Nahi aaunga radar mein. pic.twitter.com/xDeOg4Yq5K
કોંગ્રેસે તરફથી કહેવામાં આવ્યું કે, 'જુમલા જ ફેંકતા રહ્યા, પાંચ વર્ષની સરકારમાં. વિચાર્યું હતું કે ક્લાઉડી (વાદળ) વાતાવરણ છે. નહીં આવીશ રડારમાં'. નેશનલ કોંફ્રન્સના નેતા ઉમર અબ્ધુલ્લાએ કહ્યું, 'પાકિસ્તાની રડાર વાદળોમાં નથી ઘુસતા. આ સામરિક જાણકારીનું એક મહત્વપૂર્ણ ટુકડો છે જે ભવિષ્યના હવાઇ હુમલાની યોજના બનાવતા સમયે મહત્વપૂર્ણ રહેશે. ભાજપાના ટ્વિટર હે્ન્ડલથી ટ્વિટ હટાવ્યા બાદ એમણે કહ્યું કે, 'લાગે છે કે ટ્વિટ વાદળમાં ખોવાઇ ગયું.
Looks like the tweet got lost in the clouds. Luckily there are screen shots floating around to help pic.twitter.com/zSW7CsdhKL