કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દરરોજ ગંભીર આંકડાઓ સામે આવી રહ્યા છે. હવે વધી રહેલો R Number ચિંતાનું કારણ બન્યો છે.
ભારતમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 600ને વટાવી ગઈ છે. કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દરરોજ ડરામણા આંકડાઓ સામે આવી રહ્યા છે. શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે હવે ફ્રન્ટ લાઇન વર્કર્સ અને 60 વર્ષથી વધુ ઉંમરના કોમોરબીડિટી ધરાવતા લોકોને રસીનો બૂસ્ટર ડોઝ એટલે કે પ્રિકોશનરી ડોઝ આપવામાં આવશે. પીએમ મોદીની આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે દેશમાં કોરોનાની ત્રીજી લહેરના સંકેત દેખાઈ રહ્યા છે.
વધી રહ્યો R Number
એક અંગ્રેજી અખબાર અનુસાર, કોરોનાના તાજેતરના આંકડા દર્શાવે છે કે દેશમાં 'R Number' એટલે કે રિપ્રોડક્શન વધી રહ્યું છે. આ ફેક્ટ દર્શાવે છે કે કોરોના કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. એટલે કે એક વ્યક્તિ સરેરાશ કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. ઘણા રાજ્યોમાં R એ નંબર આંકડો એકને પાર ગયો છે. એટલે કે દર્દીઓની સંખ્યા ઝડપથી વધી શકે તેવા સંકેતો મળી રહ્યા છે.
આ રાજ્યોમાં 'આર નંબર 1' ઉપર
ચેન્નાઈની ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સના સંશોધકોની ટીમ અનુસાર, મહારાષ્ટ્રમાં 'આર નંબર 1'ને વટાવી ગયો છે. મુખ્ય સંશોધક સીતાભરા સિન્હાના જણાવ્યા અનુસાર, થોડા દિવસો પહેલા દિલ્હીએ પણ 1નો આંકડો પાર કર્યો હતો અને હવે બેંગલુરુ અને કોલકાતા પણ તેમાં સામેલ થઈ ગયા છે. સમગ્ર ભારતની વાત કરીએ તો હાલમાં R સંખ્યા 1 કરતા પણ ઓછી છે. પરંતુ ચિંતાનો વિષય એ છે કે તે ધીરે ધીરે વધી રહ્યો છે.
ગુજરાતમાં આજે ઓમિક્રોનના કુલ 6 કેસ નોંધાયા,જાણો કયા જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ઓમિક્રોનના કેસ નોંધાયા..
રાજ્યમાં આજે ઓમિક્રોનના કુલ 6 કેસ નોંધાયા છે. રાજકોટમાં 1 કેસ, ખેડામાં 3 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં વધુ 2 ઓમિક્રોન કેસ નોંધાયા છે. અમદાવાદના બંને કેસમાં ટ્રાવેલ હિસ્ટરી નહીં. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસ 49એ પહોંચ્યા છે.તો અત્યાર સુધીમાં 10 લોકો થયા ઓમિક્રોનમુક્ત થયા છે. જ્યારે વડોદરામાં કુલ 17, અમદાવાદમાં 11 કેસ, ખેડામાં 6, આણંદ 4, જામનગરમાં 3 કેસ, મહેસાણા 3, સુરતમાં 2, ગાંધીનગરમાં 1 કેસ, રાજકોટ જિલ્લામાં હાલ 2 ઓમિક્રોન કેસ છે. તો બનાસકાંઠામાં 1 કેસ નોંધાયો છે.
ઓમિક્રોનની વધતી સંખ્યા
ઓમિક્રોને હાલમાં ચિંતા વધારી છે. હકીકતમાં, હાલમાં દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની સંખ્યા 600થી વધુ છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સંખ્યા વધુ હોઈ શકે છે. ઓમિક્રોનને શોધવા માટે, સેમ્પલને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવી રહ્યો છે, જેમાં ઘણો સમય લાગે છે. અમેરિકા, બ્રિટન અને યુરોપના ઘણા દેશોમાં ઓમિક્રોનના કેસ ખૂબ જ વધુ આવી રહ્યા છે.
આ શહેરોમાં એલર્ટ
છેલ્લા એક સપ્તાહના આંકડા દર્શાવે છે કે દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. ખાસ કરીને દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટકમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સિવાય દિલ્હી, ચેન્નાઈ, મુંબઈ, કોલકાતા, બેંગ્લોર અને પુણે જેવા મોટા શહેરોમાંથી પણ ભયાનક આંકડાઓ સામે આવી રહ્યા છ
સરકાર અલર્ટ
ઓમીક્રોનના કેસને લઈને સરકારની હાલત પણ જોવા જેવી થશે એવું લાગી રહ્યું છે જેને પગલે શુક્રવારે ડેટા જાહેર કરતાં સરકારે કહ્યું હતું કે 10 માંથી 9 લોકો વેક્સિનના બંને ડોઝ લઈ ચૂક્યા હતા અને છતાં તેઓને ઓમીક્રોન સંક્રમણ થયું હતું.