ગુજરાતના કૃષિમંત્રી આર સી ફળદુએ પત્રકાર પરિષદમાં ખેડૂતોને નાણા ચુકવણી અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતુ કે, ખેડૂતોને રાહતના નાણા તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં મંત્રીઓની ઉપસ્થિતિમાં રકમ ચુકવણીનો કાર્યક્રમ થવાનો છે.
ખેડૂતોને પાક નુકસાન અંગે સરકારનું 3795 કરોડનું રાહત પેકેજ
આવતી કાલથી ચુકવાશે નાણાં
દરેક ખેડૂતને ફુલ નહીં તો ફૂલની પાંખડીની જેમ વળતર ચુકવવામાં આવશે. કૃષિમંત્રી ફળદુએ આજે આ અંગે મહત્વની જાહેરાત કરી હતી. પાક નિષ્ફળ જવાને પગલે સરકારે રાહત પેકેજ જાહેર કરીને ખેડૂતોના ખાતામાં પૈસા ચુકવણી અંગે આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરવાની વાત પણ કરી હતી
શું કહ્યુ કૃષિ મંત્રીએ
કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. ત્યારે આજે કૃષિ મંત્રીએ ખેડૂતોને પાક વિમાને લઇ મહત્ત્વનું નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે ચાલુ વર્ષે 146 ટકા વરસાદ નોંધાયો. તો કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. કમસોમી વરસાદથી ઘાસચારો સંપૂર્ણપણે નાશ થયો. જેને લઇ પાક નુકસાનીનું વળતર ચૂકવાશે. આવતીકાલે પૂર્વ PM અટલજીનો જન્મદિવસ છે. અને આવતીકાલથી જ નાણા આપવાની પ્રક્રિયા શરૂ થશે. ખેડૂતોને અરજી માટે 1 માસનો સમય અપાયો હતો. જેમાં 24 લાખ ઉપરાંત ખાતેદારોએ અરજી કરી છે. પાક વિમાનું વળતર આપવાનો કાર્યક્રમ રાજ્યના 8 ભાગોમાં કરવામાં આવશે. જેમાં વડોદરામાં CMની આગેવાનીમાં કાર્યક્રમનો પ્રારંભ થશે. મહેસાણામાં નીતિન પટેલ અને અમદાવાદમાં ભૂપેન્દ્રસિંહની હાજરીમાં સહાય ચૂકવાશે.
કમસોમી વરસાદના કારણે ખેડુતોને નુકસાન ભોગવુ પડ્યુ
ઘાસચારો સંપુર્ણ પણે નાશ થયો-
પાક નુકસાન અંગે વળતર ચુકવાશે
કૃષિ સહાય પેકેજ સરકારે જાહેર કર્યુ
ખેડુતોને 1 માસનો સમય આપવામાં આવ્યો હતો
24 લાખ ખેડુતોએ અરજી કરી
રાજ્યના 8 ભાગોમાં કાર્યક્રમો ગોઠવવમાં આવ્યા
વડોદરા ખાતે CM રૂપાણીની આગેવાનીમાં કાર્યક્રમનો પ્રારંભ થશે