રાજકોટઃ ખોડલદામના ચેરમેન નરેશ પટેલના રાજીનામાના મામલે પ્રમુખ પરેશ ગજેરાએ પોતાનું નિવેદન આપતા કહ્યું કે નરેશભાઈએ રાજીનામુ પરત ખેંચતા હર્ષની લાગણી ફેલાઈ છે. તેઓનો નિર્ણય ટ્રસ્ટ અને સમાજ તરફી હોય છે.
તેઓ આજીવન ખોડલધામના ચેરમેન અને પ્રમુખ રહેશે. હાલમાં નરેશભાઈ વિદેશ છે અને તેમનો મોટાભાગનો સમય ટ્રાવેલિંગમાં પસાર થાય છે. જો કે પરેશ ગજેરાએ બંને વચ્ચે કોઈ વિવાદ હોવાની વાતને નકારી હતી.
બીજી બાજું નરેશ પટેલના કથિત રાજીનામાને લઈને કૃષિ રાજ્યમંત્રી આર.સી.ફળદુએ પોતાનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે નરેશભાઈએ રાજીનામુ પરત ખેંચીને ઉમદા કાર્ય કર્યું છે. સમાજના હિતમાં લેવાયેલા તેમના નિર્ણયનો હું આભાર માનુ છું.