ભારતે રવિવારે ઓરિસ્સામાં ચાંદીપુર સ્થિત પરીક્ષણ રેન્જથી ઓલ-વેદર અને ઓલ-ટેરેન ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ (QRSAM)નું પરીક્ષણ કરવામાં આવ્યું. ડીઆરડીઓના સૂત્રોએ બતાવ્યું કે એર ડિફેન્સ સિસ્ટમ, QRSAMનું પરીક્ષણ રવિવારે સવારે એક ટ્રક આધારિત લોન્ચ યૂનિટથી કરવામાં આવ્યું.
સૂત્રો અનુસાર, ઓલ વેધર અને ઓલ ટેરેન મિસાઇલને એક ટ્રક પર લગાવી શકાય છે અને એક કનસ્તરમાં રાખી શકાય છે. સાથે જ ઇલેક્ટ્રોનિક કાઉન્ટર સિસ્ટમથી લેસ છે. તેથી આ એરક્રાફ્ટ રડારના જેમર વિરુદ્ધ જઇને પણ મારી શકે છે. QRSAM ઇંધણ પ્રોપેલેન્ટનો ઉપયોગ કરે છે. તેની રેન્જ 25-30 કિમી છે.
QSRAMનું પહેલુ પરીક્ષણ 4 જુન 2017 થયું હતું. તેના બાદ 26 ફેબ્રુઆરી 2019એ એક દિવસ સફળતાપૂર્વક બે રાઉન્ડના ટ્રાયલ કર્યા હતા. બે મિસાઇલોનું પરીક્ષણ વિભિન્ન ઉંચાઇ અને સ્થિતિઓ માટે કરવામાં આવ્યું હતું.
સૂત્રોએ કહ્યું કે, પરીક્ષણ ઉડાનોએ પોતાની વાયુગતિ, પ્રોપેલેન્ટ, સંરચનાત્મક પ્રદર્શન અને ઉચ્ચ ક્ષમતાઓનું સફળતાપૂર્વક પ્રદર્શન કર્યું હતું. ક્વિક રિએક્શન મિસાઇલને ડીઆરડીઓએ વિકસિત કરી છે. આ મિસાઇલના સફળ પરીક્ષણને ડીઆરડીઓની મોટી સફળતા માનવામાં આવે છે.