દિલ્હી: કેન્દ્ર સરકારની મુદ્રા યોજના આવી છે વિવાદમાં આ યોજના દ્વારા ગરીબોને રોજગાર માટે લોન આપીને સક્ષમ બનાવવાનું સપનું હતું.પરંતુ કેન્દ્ર સરકારનું આ સપનું બેંકોની આર્થિક સદ્ધરતા ભરખી રહ્યું છે.કારણે બેંકોએ મુદ્રા હેઠળ આપેલા 14 હજાર કરોડ કરતા વધુ રૂપિયાની લોન પરત થઇ નથી.
ઉલ્લેખનીય છે કે 14 હજાર 358 હજાર કરોડ રૂપિયા ની અધધ લોનનો આ આંકડો છે.જે રૂપિયા બેંકોમાંથી મુદ્રા યોજનાના નામે ગયા તો ખરા પરંતુ હજુ સુધી પરત ફર્યા નથી અને બેંકોએ પણ હવે આ રૂપિયા પરત ન આવશે તેની આશા છોડી દિધી છે.
આ સાથે જ કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને લોનના રૂપિયા પરત ન ફરવાને લઇને ફરિયાદ કરી છે. કેન્દ્ર સરકારે 8 એપ્રિલ 2015ના રોજ મુદ્રા યોજનાની શરૂઆત કરી હતી.જેનો ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગને સ્વરોજગાર માટે ઓછા વ્યાજ દરે લોન આપવાનો હતો.
આપને જણાવી દઇએ કે આ સ્કીમ હેઠળ ત્રણ શ્રેણીમાં લોન આપવામાં આવે છે.જેમાં નાના ધંધા માટે 50 હજાર રૂપિયા સુધીની લોન મધ્યમ કક્ષાના ધંધા માટે 50 હજારથી પાંચ લાખ રૂપિયા સુધીની લોન અને ત્રીજી શ્રેણીમાં આવતા ધંધા માટે પાંચ થી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 12 કરોડ 78 લાખ લોકો આ યોજના હેઠળ લોન લઇ ચુક્યા છે.જેમાંથી માત્ર 17 લાખ 57 હજાર લોકોએ જ ત્રીજી શ્રેણી એટલે કે પાંચથી 10 લાખ રૂપિયા સુધીની લોન લીધી છે.
એટલે મતલબ સાફ છે કે સાડા બાર કરોડ કરતા પણ વધુ એવા લાભાર્થીઓ છે જેમણે પાંચ લાખ કરતા પણ ઓછા રૂપિયાની લોન લીધી છે.અત્યાર સુધીમાં મોટો ઉદ્યોગપતિઓ લોન પરત ન કરતા હોવાના કિસ્સા સામે આવતા હતા.પરંતુ 14 હજાર 358 કરોડની લોન પરત ન કરનાર લોકો સિમિત આવક ધરાવે છે એટલે ધંધો નિષ્ફળ ગયો હોય તો લોનની રકમ પાછી ફરવાની આશા ઓછી છે.
તો વળી લોનના લાભાર્થી ઓની સંખ્યા પર કરોડોમાં છે એટલે સરકારનો એક નિર્ણય કરોડો લોકોને અસર કરશે.પરંતુ જો લોનની રકમ પરત નહીં આવે તો બેંકોની નોન પ્રોફિટ એસેસ્ટ વધશે અને આખરે બેંકોની હાલત કફોડી બનશે.
આપને જણાવી દઇએ કે એક તરફ સરકાર માની રહી છે કે મુદ્રા યોજના હેઠળ લોન લીધેલા તમામ લોકોને રોજગાર મળી ગયો છે.પરંતુ સૂત્રોનું માનીએ તો યોજનાનો લાભ લીધા બાદ કેટલા લોકોએ ધંધો શરૂ કર્યો તેના કોઇ જ આંકડા સરકાર પાસે નથી.
તો બીજી તરફ નાની રકમની લોન આપીને બેંકોને પણ કોઇ જ ફાયદો થતો નથી એટલે બેંકોએ મુદ્રા યોજનાને લઇને સરકાર અને RBIને સવાલ કર્યો છે કે બાકી નિકળતા નાણા અંગે હવે શું કરવામાં આવે ? ત્યારે હવે છેલ્લો નિર્ણય સરકાર અને RBIના હાથમાં છે.