વડોદરાના છાણી વિસ્તારમાં રાતોરાત બનેલાં રોડ અંગે વિવાદ ભારે વકર્યો છે. મેયર સહિતના હોદેદારો આ રોડના કામથી અજાણ હોવાનું કહી રહ્યા છે.
વડોદરા મહાનગર પાલિકાના સ્માર્ટ વહીવટ પર ઉઠ્યા સવાલો
નવા બજેટમાં સૂચવેલો રોડ બજેટ પહેલા જ બન્યો
મેયર અને મ્યુનિ.કમિશનરે પત્ર લખીને વિજિલન્સ તપાસની માગ કરી
વડોદરા નગરપાલિકાનો સ્માર્ટ વહીવટ સામે આવ્યો છે.ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજાની જમીન પાસે રોડ બનાવવામાં આવ્યો છે. આ રોડનો ઉલ્લેખ નવા બજેટમાં કરવામાં આવ્યો હતો.હજુ તો બજેટ લાગુ થાય તે પહેલા જ રોડ બની ગયો છે. આ રોડ બનાવવા કોર્પોરેટરની સૂચના હતી.
ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા પર આક્ષેપ
રોડની કામગીરી અંગે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો પણ અજાણ છે.કાર્યપાલક ઈજનેર રાજેશ ચૌહાણે 72.59 લાખનો રોડ મંજૂર કર્યો છે.કોંગ્રેસના કોર્પોરેટરે વડોદરા મનપા પર પણ સવાલ ઉઠાવ્યા છે. જરૂર ન હોવા છતાં રોડ કેમ બનાવવામાં આવ્યો. આ મુદ્દે વિપક્ષ નેતા અમીબેન રાવતે વડોદરા મહાનગર પાલિકાના મેયર અને મ્યુનિ. કમિશનરે પત્ર લખી આ મામલે વિજિલન્સની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી.
વર્ક ઓર્ડર નવેમ્બરમાં આપાયો હતો જેનું કામ હમણાં ચાલુ
સૂત્રોના જણાવ્યા મુજબ આ કામનું સૂચન નવેમ્બર મહિનામાં કરવામાં આવ્યું હતું. જેનો વર્ક ઓર્ડર નવેમ્બરમાં આપવામાં આવ્યો હતો. જેનું કામ હમણાં ચાલુ છે. આ કામ બજેટમાં લેવામાં આવ્યું છે. એટલે તંત્રે પહેલા ભૂલ કરી અને તેને સુધારવા માટે કામ બજેટમાં લીધું. જે નિયમથી વિરુદ્વ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.