લખીમપૂર ખીરી હિંસા કેસમાં પોલીસની ભૂમિકા પર સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે હવે સુપ્રીમે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લીધી હતી.
લખિમપુર ખેરી ઘટનામાં સુપ્રીમે લીધી નોંધ
આજે ચીફ જસ્ટિસ પોતે કરશે સુનાવણી
સીબીઆઇ તપાસની ચાલી માંગ
લખિમપુર ખેરી ઘટનામાં તમામ પ્રકારના પ્રાથમિક પુરાવાઓ હાજર હોવા છતાં કોઈ પણ વિરુદ્ધ પગલાં લેવામાં નથી આવી રહ્યા . પોલીસ તંત્રએ કોઇની ધરપકડ કરી નથી ત્યારે હવે આન મામલે સુપ્રીમે ઝંપલાવવું પડ્યું છે.
સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી ઘટનામાં થયેલ હિંસા અને 8 મૃત્યુની ઘટનાની નોંધ લીધી હતી. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનની અધ્યક્ષતાવાળી ખંડપીઠ દ્વારા ગુરુવારે આ મામલાની સુનાવણી કરવામાં આવશે. આ પહેલા મંગળવારે હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. બે વકીલોએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને મંત્રીઓ સામે FIR અને તેમની સજાની માંગ કરી હતી.
સીબીઆઈ તપાસની મંગણી
અરજીમાં કોર્ટને વિનંતી કરવામાં આવી છે કે ગૃહ મંત્રાલય અને પોલીસને મંત્રીઓ વિરુદ્ધ કેસ નોંધવા માટે નિર્દેશ આપે. એવી પણ માંગણી કરવામાં આવી છે કે હિંસા અને ઉપદ્રવના કેસમાં ઉચ્ચ સ્તરીય ન્યાયિક તપાસ હાથ ધરવામાં આવે. સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ આપેલા સમયમાં સીબીઆઈ પાસેથી તપાસનો આદેશ પણ આપી શકાય એમ છે.
શું છેઆખો મામલો ?
લખીમપુર ખેરીના ટીકુનિયામાં રવિવારે બપોરે લોહિયાળ સંઘર્ષ થયો હતો. જેમાં ચાર ખેડૂતો સહિત આઠ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ કેસમાં આરોપી કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીનો પુત્ર આશિષ મિશ્રા છે. આ ઘટનાને લઈને વિરોધ ચાલી રહ્યો છે અને રાજકીય માહોલ પણ ગરમાયો છે. એવા સમયે, બુધવારે, સુપ્રીમ કોર્ટે આ મામલાની જાતે નોંધ લીધી હતી અને ગુરુવારે તેની સુનાવણી કરવાનું નક્કી કર્યું હતું.