IPL બાદ તરત જ ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા જવાનું થશે, જે માટે ટીમનું એલાન પણ થઇ ચૂક્યુ છે અને આ ટીમમાં રોહિત શર્માને જગ્યા આપવામાં આવી નથી. બીસીસીઆઇએ ઇજાના કારણે તેમને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે પરંતુ ગંભીર ઇજા હોવા છતાં તે મુંબઇ ઇન્ડિયન્સ માટે ક્રિકેટ રમ્યો. તો તેને આરામ કરવો જોઇએ તો શા કારણે તે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમ્યો.
રોહિત શર્મા ટીમ ઇન્ડિયાથી બહાર
રોહિત પર ઉઠી રહ્યાં છે સવાલ
BCCI પર ઉઠ્યા સવાલ
રોહિત શર્માએ જણાવ્યું કે, હવે તે બિલકુલ ઠીક થઇ ગયા છે અને રમવા માટે તૈયાર છે. હૈદરાબાદ વિરુદ્ધ રોહિત આ કારણથી જ રમતા નજર આવ્યા હતા. મોટો સવાલ તો એ છે કે જો રોહિત શર્મા સરખા થઇ ગયા છે તો તે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમીને ઉતાવળ કરી રહ્યો છે.
BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ આ વાત પર નિવેદન આપ્યુ છે. જ્યાં એક બાજુ રોહિત પોતાની જાતને ફિટ કહી રહ્યા છે તો બીજી તરફ બીસીસીઆઇ રોહિતને ફીટ થવાનો સમય આપે છે. રોહિત અને ગાંગુલી અને રોહિત બંને અલગ અલગ દિશામાં નિવેદન આપી રહ્યાં છે.
પૂર્વ કેપ્ટન અને ચીફ સિલેક્ટર દિલીપ વેંગસરકરે રોહિત પર સવાલ ઉભા કર્યા છે. તેમણે કહ્યું કે, આ રસપ્રદ વાત છે કે ટીમ ઇન્ડિયાના સૌથી સારા બેટ્સમેન રોહિત શર્મા છે. જેમને થોડા દિવસ પહેલા ટીમ ઇન્ડિયાના ફિઝીયોએ ઓસ્ટ્રેલિયા જવા પર અનફીટ ઘોષિત કર્યા હતા અને તેના કારણે રોહિતને ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યા.
તેવામાં સવાલ ઉઠે છે કે, તે મુંબઇ ઇન્ડિયન્સ માટે રમી રહ્યાં છે તો રોહિત માટે આઇપીએલ જરૂરી છે કે દેશ. શું ક્લબ ક્રિકેટ તેમના માટે દેશ કરતા વધારે મહત્વનું છે.