કોગ્રેસ નેતા સંજય નિરૂપમે કહ્યું છે કે આ મામલે એનસીપીના પ્રમુખ શરદ પવારની પૂછપરછ થવી જોઈએ. ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ એનસીપીના નેતા છે.
મહારાષ્ટ્રમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ
કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે કરી મોટી માંગણી
પત્રવિવાદ કેસમાં શરદ પવારની પૂછપરછની કરી માંગણી
મહત્વનું છે કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવતી વખતે ગૃહ મંત્રાલયનો હવાલો શરદ પવારે તેમની પાર્ટી NCP ના ક્વોટામાં રાખ્યો હતો. નોંધનીય છે કે હાલમાં મુંબઇના પૂર્વ કમિશનર પરમબીર સિંઘના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપો લગાવતા લેટર બોમ્બની ઘટના પછી ત્રણેય પાર્ટીઓ વચ્ચે તેમની હકાલપટ્ટીને લઈને હજુ સુધી કોઈ સહમતિ સધાઈ ન હોવાની જાણકારી સૂત્રોએ આપી હતી.
મુંબઈના પૂર્વ કમિશનરે લખ્યો હતો પત્ર
મુંબઇના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં ગૃહ પ્રધાન અનિલ દેશમુખ દ્વારા દર મહિને 100 કરોડની વસૂલાત કરવાનો સચિન વાઝેને ટાર્ગેટ આપતા હોવાનો આરોપ લગાવ્યો હતો, જેને લઈને ઘણો વિવાદ થયો છે અને મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષોના ગઠબંધન વાળી મહાવિકાસ આઘાડી સરકારમાં ખેચતાં વધી ગઈ છે.
If at all, whatever Parambir Singh is saying is truth, question should be asked from Hon Sharad Pawar ji because he is the arcitect of current Maharashtra Govt. Is it what the so called third front is going to do finally ?
Congress must take a stand on this issue.#AnilDeshmukh
આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ સાંસદ સંજય નિરૂપમે કહ્યું છે કે આ મામલે એનસીપીના પ્રમુખ શરદ પવારની પણ આ મામલે પૂછપરછ થવી જોઈએ. ગૃહમંત્રી અનિલ દેશમુખ પણ એનસીપીના નેતા છે. મહાવિકાસ આગાડી સરકાર બનાવતી વખતે શરદ પવારે ગૃહ મંત્રાલયને તેમના (એનસીપી) ક્વોટામાં રાખ્યો હતો.
સંજય નિરૂપમે ટિ્વટ કર્યું હતું કે, "પરમબીર સિંહ જે પણ કહે છે, જો તે એકદમ સાચું છે, તો માનનીય શરદ પવાર જીને પ્રશ્ન પૂછવો જોઈએ કારણ કે તે હાલની મહારાષ્ટ્ર સરકારના આર્કિટેક્ટ છે. આ કહેવાતું ત્રીજું મોરચો આખરે શું કરશે? તે છે? કોંગ્રેસે આ મુદ્દે વલણ અપનાવવું જોઈએ. "
મહારાષ્ટ્રની સરકાર પર દબાણ વધ્યું
નિરૂપમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રના આઈપીએસ અધિકારીનો "લેટર બોમ્બ" પહેલેથી જ શિવસેના, એનસીપી અને કોંગ્રેસની મહા વિકાસ આગાડી સરકાર ની આબરૂ પર સવાલ ઊભા કરી રહ્યો છે. નોંધનીય છે કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને મોકલેલા આઠ પાનાંના પત્રમાં પરમબીર સિંહે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રી દેશમુખ તેમના અધિકારિક નિવાસ સ્થાને પોલીસ અધિકારીઓને બોલાવતા હતા અને તેઓને બાર, રેસ્ટોરન્ટ્સ અને અન્ય સ્થળોએથી રિકવરી માટે કહેતા હતા. જો કે સાથે જ આ પાત્રને લઈને સીએમ ઓફિસ તરફથી જાહેર કરવામાં એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ લેટર પરમબીર સિંઘની ઓફિશિયલ ઈમેઇલ આઈડીથી મોકલવામાં આવ્યો નહોતો.
મહત્વનું છે કે રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના મુંબઇમાં સ્થિત આવાસની બહાર કાર પાર્કિંગના કેસમાં મનસુખ હિરેનની શંકાસ્પદ મૃત્યુ અને તેમની સાથે સંબંધિત સચિન વાજેના ખુલાસા બાદ પરમબીરસિંહે મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ કમિશનરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો છે. નોંધનીય છે કે મુંબઈના કમિશનર પદેથી હકાલપટ્ટી કરીને પરમબીર સિંહને હોમગાર્ડ વિભાગમાં મોકલી દેવામાંઅ આવ્યા હતા, પણ સામાન્ય રીતે આ બદલીને તેમના ડિમોશન તરીકે જોવામાં આવી રહ્યું છે.