મોરબીના રવાપર ગામે મોહનભાઇ કુંડરિયાની જાહેર સભા યોજાઈ. જેમાં તેમણે પીએમ મોદીએ કરેલા વિકાસ કામો વિષે વાત કરીને કોગેસ પર પ્રહારો કર્યા. તેમજ લોકોનો ઉત્સાહ જોઈને બહુમતીથી જીત હાંસલ કરવાનો પણ દાવો કર્યો.
મોરબીના રવાપર ગામે મોહનભાઇ કુંડરિયાની જાહેર સભા યોજાઈ. જેમાં તેમણે પીએમ મોદીએ કરેલા વિકાસ કામો વિષે વાત કરીને કોગેસ પર પ્રહારો કર્યા. તેમજ લોકોનો ઉત્સાહ જોઈને બહુમતીથી જીત હાંસલ કરવાનો પણ દાવો કર્યો.
આ સભામાં હાજર રહેલા ભાજપના કદાવર નેતા પરષોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર હાસ્ય સાથે પ્રહાર કર્યા અને રાહુલ ગાંધીને યુવરાજ તરીકે સંબોધન કરીને તેમણે કહ્યું કે, ગરીબ અને મહાગરીબ અને તેમાંથી 20 ટકાને રૂપિયા 72 હજાર આપવાનું વચન આપ્યું છે એ કઈ રીતે આપશે એ સ્પષ્ટ કરે.
શરદ પવારના વખાણ કરતા કહ્યું કે, પહેલા એવા વ્યક્તિ નીકળ્યા કે માતા અને પુત્રના પ્રધાનમંત્રી બનવા પર વાંધો ઉઠાવ્યો. જેમાં પ્રથમ વિદેશી કુળના હોવાથી સોનિયા ગાંધી વડાપ્રધાન ન થઈ શકે તેવો પ્રશ્ન શરદ પવારે ઉઠાવ્યો હતો સોનિયા ગાંધીને વડાપ્રધાન પદમાં રસ ના હોય તો સંસદસભ્ય તરીકે કેમ ઉભા રહ્યા. હવે રાહુલ ગાંધી સામે પણ વાંધો ઉઠાવ્યો છે.
હું તેમને અભિનંદન આપું છું. કોંગ્રેસ ખોટી રીતે ભાજપ પર આક્ષેપો કરે છે. કોંગ્રેસ ટીકા કરે એનો વાંધો નથી પણ ટિકામાં તથ્ય હોય તે જરૂરી છે. આમ પરસોત્તમ રૂપાલાએ કોંગ્રેસ પર ભ્રષ્ટાચાર અને જીએસટી અંગે પણ કટાક્ષ કર્યો..