કેરીઓની રાણીના નામથી પ્રખ્યાત એવી નૂરજહાં નામની કેરીનું ફળ આ વર્ષે 2.75 કિલોગ્રામનું જોવા મળ્યુ.
આજ એક કારણ છે કે નૂરજહાં નામની આ કેરીનું એક ફળ 1200 રૂપિયા સુધીમાં વેચાયુ છે. મૂળ અફધાનિસ્તાનની કેરીની પ્રજાતિ તરીકે ઓળખતાી નૂરજહાં નામની આ કેરી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રના કેટલાક ચોક્કસ વૃક્ષ પર જ ઉગે છે.
મધ્યપ્રદેશનો આ વિસ્તાર ગુજરાત પાસે આવેલો છે. ઇન્દરોથી લગભગ 250 કિમી દૂર કટ્ટીવાડામાં આ પ્રજાતિન ખેતીના વિશેષજ્ઞ જણાવ્યુ કે, આ વખતે અનુકૂળ વાતવારણને કારણે નૂરજહાંના વૃક્ષો પર સારી માત્રામાં કેરીનું ઉત્પાદન થયુ છે. આ સિઝનમા નૂરજહાંના ફળનું વજન અંદાજિત 2.75 કિલોની આસપાસનું જોવા મળ્યુ છે.
તેમણે જણાવ્યુ કે, આજકાલ નૂરજહાં કેરીનું એક ફળ 700-800 રૂપિયામાં વેચાઇ રહ્યુ છે. આ કેરીનું વધારે વજન હોવાને કારણે તેનું ફળ 1200 રૂપિયા સુધીમાં વેચાઇ રહ્યુ છે. ગુજરાતના અમદાવાદ, વાપી, નવસારી અને વડોદરા શહેરના કેરીના શોખીનો પહેલાથી બુકિંગ કરાવી લે છે. લોકો સ્પેશિયલ આ વિસ્તારમાં આ નૂરજહાં કેરીના વૃક્ષને જોવા માટે આવે છે અને કટ્ટીવાડા ક્ષેત્રમાં ઘણા લોકો કેરીના બગીચામાં નૂરજંહા સાથે સેલ્ફી લેતા પણ જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે ,આ ફળ લગભગ 1 ફૂટ સુધી લાંબુ થઇ શકે છે, તેના ગોટલાનું વજન 150-200 ગ્રામની વચ્ચે હોય છે. વાસ્તવમાં ચોંકાવનારી વાત છે કે, ઘણા વર્ષોથી આ ફળનું સરેરાશ વજન 3.5 થી 3.75 કિલોની વચ્ચે હોય છે.
જાણકારો અનુસાર, છેલ્લા એક દાયકાથી વરસાદમાં મોડુ, ઓછો વરસાદ, વધારે વરસાદ અને આબોહવાને કારણે આ ફળનું વજન પહેલા કરતા ઘટી ગયુ છે.