રાણી એલિઝાબેથે 2017માં અમિતાભ બચ્ચનને આમંત્રણ મોકલ્યું હતું. જેને બિગ બીએ ઠુકરાવી દીધું હતું.
96 વર્ષની વયે એલિઝાબેથ-IIએ લીધા અંતિમ શ્વાસ
અમિતાભને રાણી એલિઝાબેથે આપ્યું હતુ આમંત્રણ
આ કારણે ન હતા જઈ શક્યા બીગ બી
બ્રિટનની મહારાણી એલિઝાબેથ-IIએ 96 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધનથી સમગ્ર વિશ્વમાં શોકની લહેર છે અને દરેક તેને એક યુગનો અંત ગણાવી રહ્યા છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ એલિઝાબેથ દ્વિતીયના નિધનના સમાચાર સાંભળીને અફસોસ કરી શકે છે. હકીકતે રાણી એલિઝાબેથે અમિતાભ બચ્ચનને આમંત્રણ મોકલ્યું હતું, જેને બિગ બીએ ઠુકરાવી દીધું હતું.
અમિતાભ બચ્ચને ઠુકરાવ્યું હતું આમંત્રણ
ક્વીન એલિઝાબેથે ફેબ્રુઆરી 2017માં બંકિઘમ પેલેસ ખાતે શાહી પરિવાર વતી 'યુકે-ઈન્ડિયા યર ઓફ કલ્ચર'નું આયોજન કર્યું હતું જેમાં વિશ્વભરમાંથી સિલેક્ટેડ મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત તેમણે બોલિવૂડના મેગાસ્ટાર અને દેશના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનને આમંત્રણ આપ્યું હતું. જો કે, અમિતાભે મહારાણીના આ ગ્રાન્ડ આયોજનના આમંત્રણને ઠુકરાવી દીધું હતું.
જણાવ્યું હતું આ કારણ
અમિતાભ બચ્ચનના પબ્લિસિસ્ટે એક નિવેદન જારી કર્યું અને રાણીના આ આમંત્રણને નકારવા પાછળનું કારણ સમજાવ્યું. તેમાં લખ્યું હતું - "જી હા, મિસ્ટર બચ્ચનને બંકિઘમ પેલેસ ખાતે UK-India year of Culture રિસેપ્શનમાં હાજરી આપવા માટે ક્વીન એલિઝાબેથ તરફથી ખૂબ જ ખાસ આમંત્રણ મળ્યું છે, પરંતુ કમનસીબે તેમણે જે પહેલાથી કમિટમેન્ટસ કરી છે આના કારણે તેઓ તેમાં ભાગ નહીં લઈ શકે છે."
Balmoral Castleમાં લીધા છેલ્લા શ્વાસ
જણાવી દઈએ કે ગુરુવારે જ મહારાણીની તબિયત નાજુક હોવાના સમાચાર મળતાં જ તેમને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ધીમે-ધીમે તેમની તબિયત બગડવા લાગી હતી. રાણી તેમના છેલ્લા દિવસોમાં Balmoral Castleમાં હતા જ્યાં તેનું અવસાન થયું.