ક્વોરેન્ટાઈનનો સમય પુરો થતા 23 વિદેશી જમાતીઓને અસ્થાયી જેલ મોકલી દેવામાં આવ્યા છે. રિમાંડ મેજિસ્ટ્રેટ તરફથી તેમને 14 દિવસની ન્યાયીક કસ્ડી હેઠળ અસ્થાયી જેલમાં રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ક્વોરેન્ટાઈનનો સમય પુરી થયા પછી 23 વિદેશી જમાતીઓને જેલ ભેગા કરી દેવાયા
અલગ- અલગ કલમો હેઠળ ગત દિવસોમાં તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી
છેલ્લાં કેટલાક દિવસો લખનૌ શહેરની મસ્જિદમાં મળેલા 23 વિદેશી જમાતીઓને ક્વોરેન્ટાઈન કરાયા હતા. તેમનો સમય પુરો થતા શનિવારે મોડી રાતે પોલીસે તેમની ધરપકડ કરી છે. એ બાદ રવિવારે તમામને કાશ્મીરી મહોલ્લા સ્થિત મ્યૂનિસિપલ ગર્લ્સ ઈન્ટર કોલેજમાં બનેલી અસ્થાયી જેલમાં મોકલવામાં આવ્યા છે. ધરપકડ કરાયેલા જમાતીઓમાં 4 મહિલાઓનો પણ છે.
એ.ડીસીપી પશ્ચિમ વિકાસ ચંદ્રા ત્રિપાઠીએ જણાવ્યું કે ગત દિવસોમાં કૈસરબાગ, કાકોરી અને મડિયાંવ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ188, મહામારી અધિનિયમ કલમ 3, પાસપોર્ટ અધિનિયમ 1968ની કલમ 12(3), પાસપોર્ટ અધિનિયમ 1920ની કલમ 3(2) અને વિદેશી અધિનિયમ1946ની કલમ 14, 14 સી હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
આ તમામને પહેલા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ બાદ તેમને ક્વોરેન્ટાઈન રાખવામાં આવ્યા હતા. તેનો સમય પુરો થતા મોડી રાતે પોલીસે તેમની ધરપકડ કરી રિમાન્ડ મેજિસ્ટ્રેટની સામે રજુ કર્યા હતા. તેમણે 14 દિવસ માટે અસ્થાયી જેલમાં મોકલવાનો આદેશ કર્યો હતો.