ભારત સરકાર દ્વારા મુસાફરી પ્રતિબંધ લાદ્યા બાદ પીવી સિંધુનને ઓલ ઇંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપમાંથી હટી જવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતાએ કોરોના મહામારી હોવા છતાં રમવાનો નિર્ણય લીધો હતો. 11 માર્ચે સરકારે ટ્રાવેલ સંબંધી એડવાઇઝરી જારી કરી હતી, જે અંતર્ગત એપ્રિલ સુધી તમામ વિઝા રદ કરવામાં આવ્યા હતા. આ સાથે, તમામ ભારતીયોને અસરગ્રસ્ત દેશોમાંથી ઘરે પરત આવવાનું કહેવામાં આવ્યું હતું.
સિંધુએ મહામારી હોવા છતાં રમવાનો નિર્ણય લીધો હતો
ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનથી હટવાનો હતો વિકલ્પ
પણ પીવી સિંધુ ક્વાર્ટર ફાઈનલ સુધી રમી
ઇંગ્લેન્ડ કોરોના વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં સામેલ છે. સિંધુના પિતા પીવી રમન્નાએ કહ્યું, '11 માર્ચની રાત્રે જ્યારે એડવાયઝરી જાહેર કરવામાં આવી ત્યારે ગોપી (પુલેલા ગોપીચંદ)એ અમને મેચ ન રમવા અને પાછા જવાનું કહ્યું.
તેમણે કહ્યું કે, 'ફક્ત સિંધુ, લક્ષ્ય સેન, સિક્કી રેડ્ડી અને અશ્વિની પોનપ્પા બીજા રાઉન્ડમાં હતા. અમે રમવાનું નક્કી કર્યું. વિમલે પણ કહ્યું આપણે રમીશું. અમે પહેલેથી જ ત્યાં હતા અને વધુ એક દિવસ રોકાવાથી કોઈ ફરક પડવાનો નહોતો.'
સાઇના નેહવાલ, પારુપલ્લી કશ્યપ અને બી સાઈ પ્રણીત પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગયા હતા. લક્ષ્ય બીજા રાઉન્ડમાં હારી ગઈ. જ્યારે સિંધુ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ હતી. રમન્નાએ કહ્યું, 'ઇંગ્લેંડમાં કોઈએ માસ્ક પહેર્યો ન હતો, પરંતુ અમે બધી સાવચેતી રાખી અને જમતી વખતે જ માસ્ક કાઢતા હતા. અમે સતત ગરમ પાણી અને તુલસીનું સેવન કર્યું.
તેણે કહ્યું, 'સિંધુ અને હું પાછા ફર્યા પછી એકબીજાને અલગ કરી લીધા છે. અમે કોઈને મળી રહ્યા નથી. મારી મોટી દીકરી ઘરની નજીક રહે છે, પરંતુ અમે તેની સાથે પણ મુલાકાત કરી રહ્યા નથી. સિંધુ ટેરેસ પર કસરત કરે છે અને ઘરની પાસે જ જોગિંગ કરી લે છે.'