વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પી.વી.સિંધુ હવે ગુજરાતના એક પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનશે. ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમ સ્યૂસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામમાં પી.વી.સિંધુને એમ્બેસેડર બનાવવામાં આવશે.
10 સપ્ટેમ્બરને 'વર્લ્ડ સ્યૂસાઇડ પ્રિવેન્શન' દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે હવે આ પ્રોગ્રામની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા પી.વી.સિંધુ સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવનો સિંધુએ સ્વીકાર પણ કર્યો છે. 10 સપ્ટેમ્બરના રોજ કઠવાડા સ્થિત GVK 108ના મુખ્ય મથકે સ્યૂસાઇડ પ્રિવેન્શન પ્રોગ્રામના કાર્યક્રમનું આયોજન કરાશે. જેમાં પી.વી.સિંધુ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે. સરકારના આંકડા મુજબ દેશમાં એક લાખ વ્યક્તિએ 10 લોકો સ્યૂસાઇડ કરે છે. જ્યારે ગુજરાતમાં આ આકંડો 11.6 છે. આ આંકડાને ઘટાડવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્યૂસાઇડ પ્રિવેન્શન માટે 104 નંબરની ટોલફ્રી હેલ્પલાઈન પણ શરૂ કરાશે. રાજ્ય સ્તરે યોજાનાર આ પ્રોગ્રામ માટે વોલનટીયર્સને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે.
આ અગાઉ જકાર્તા એશિયાઈ રમતમાં 400 મીટરની દોડમાં ભારતને સ્વર્ણ પદક અપાવનારી આદિવાસી એથલેટ સરિતા ગાયકવાડને કુપોષણ મુક્ત ગુજરાતની બ્રાન્ડ એમ્બેસડર બનાવી હતી. તો સાથે જ ટેનિસ સ્પર્ધામાં ભાગ લઈને દેશને કાંસ્ય ચંદ્રક અપાવનારી અંકિતા રૈનાને બેટી બચાઓ અભિયાનની બ્રાન્ડ એમ્બેસડર બનાવવામાં આવી હતી.
ભારતમાં દર એક કલાકે એક વિદ્યાર્થી સ્યૂસાઇડ કરે છે
સરકારના આંકડા મુજબ દેશમાં એક લાખ વ્યક્તિએ 10 લોકો સ્યૂસાઇડ કરે છે જ્યારે ગુજરાતમાં આ આકંડો 11.6 છે. આમ ગુજરાતમાં સ્યૂસાઇડનું પ્રમાણ ઘણું વધ્યું છે. 15થી 29 વયમર્યાદામાં મૃત્યુ માટેનું બીજુ કારણ સ્યૂસાઇડ છે. એક અંદાજ મુજબ ભારતમાં દર એક કલાકે એક વિદ્યાર્થી સ્યૂસાઇડ કરે છે એવી સ્થિતિમાં ગુજરાતમાં સ્યૂસાઇડનું પ્રમાણ ઘટાડવા GVK 108 અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યોં છે.
વોલનટીયર્સને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે
સ્યૂસાઇડ પ્રિવેન્શન માટે 104 નંબરની ટોલફ્રી હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોજાનાર આ પ્રોગ્રામ માટે વોલનટીયર્સને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવશે. એજ્યુકેશન, ડિપ્રેશન, આર્થિક સંકળામણ, ખેતીમાં નુકશાન, લગ્નજીવનમાં અસંતોષ વગેરે જેવા જુદાજુદા કારણે લોકો સ્યૂસાઇડ કરતા હોય છે. આવા વિષયોને સમજાવી શકે એવા કાઉન્સિલરોને ટ્રેનિંગ આપવામાં આવશે.