રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથેની વાતચીત દરમિયાન જાપાનના હિરોશિમા અને નાગાસાકી પરના પરમાણુ હુમલાને યાદ કર્યો હતો. પુતિને કહ્યું કે બીજા વિશ્વયુદ્ધનું ઉદાહરણ છે કે જીતવા માટે મોટા શહેરો પર હુમલો કરવો જરૂરી નથી
હિરોશિમા,નાગાસાકીના ઉલ્લેખથી યુરોપિયન નેતાઓ ગભરાયા
એક તરફ રશિયા યુક્રેનના ખેરસોમાં વેસ્ટર્ન બેંકમાંથી પાછીહઠ કરવાનું આશ્વાસન આપી રહ્યું છે તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે વાતચીતમાં જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર થયેલા પરમાણુ હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. પુતિન દ્વારા પરમાણુ હુમલાના ઉલ્લેખથી યુરોપિયન નેતાઓ ગભરાઈ ગયા છે. એક અહેવાલમાં મળતી માહિતી મુજબ પુતિને મેક્રોન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે જાપાન પરના પરમાણુ હુમલાથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો તે દર્શાવે છે કે જીતવા માટે તમારે મોટા શહેરો પર હુમલો કરવાની જરૂર નથી.
પરમાણુ યુદ્ધનો વર્તમાન ખતરો
યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે વ્યૂહાત્મક પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાના પુતિનના સંભવિત નિર્ણયથી પશ્ચિમી નેતાઓ ડરી ગયા છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારથી વિશ્વભરમાં પરમાણુ યુદ્ધની આશંકા વર્તાઈ રહી છે. યુદ્ધગ્રસ્ત રાષ્ટ્રના રહેવાસીઓ માટે તે ચિંતાના વાદોળો ઘરેયા છે કારણ કે યુક્રેનમાં સૈન્ય હુમલાઓ તીવ્ર બની રહ્યા છે અને પરમાણુ યુદ્ધનો વર્તમાન ખતરો છે.
રેડિયોએક્ટિવ સામગ્રીથી ભરેલા બોમ્બનો દાવો
રશિયાએ યુક્રેન ખેરસન શહેરમાં રેડિયોએક્ટિવ સામગ્રીથી ભરેલા બોમ્બનો ઉપયોગ કરવાનું કાવતરું રચવાનો આરોપ લગાવ્યો છે. યુક્રેનના વિદેશ મંત્રી દિમિત્રો કુલેબાએ દાવો કર્યો છે કે કિવએ આ દાવાને ફગાવી દીધો છે. "રશિયનો ઘણીવાર અન્ય લોકો પર આરોપ મૂકે છે પરંતું તેઓ પોતે શું આયોજન કરે છે તે ક્યાં જણાવે જણાવે છે.