અમેરિકાના મિનેસોટા પ્રાણી સંગ્રહાલયમાં 12 વર્ષના વાઘ પુતિનનું મોત થયું છે.
અમેરિકામાં પુતિન નામના વાઘનું થયું મોત
લોકો પુતિન નામના વાઘને રશિયાના પ્રેસિડન્ટ માની બેઠા
સાચી વાત જાણમાં આવતા લોકો ખડખડાટ હસી પડ્યાં
યુક્રેનમાં યુદ્ધ લડવાને કારણે આખી દુનિયામાં ચર્ચામાં આવેલા રશિયાન રાષ્ટ્રપતિ પુતિનના નામોરી એક પ્રાણીનું મોત થયું હતું.
અમેરિકામાં પુતિનને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી ડોક્ટરોએ તેને બચાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ તે સફળ ન થઈ શક્યો. આખરે પુતિનનું અવસાન થયું. પુતિન નામ સાંભળીને આશ્ચર્ય ન પામતા. અહીં વાત છે મિનેસોટા ઝૂમાં રહેતા વાઘની.
પુતિન નામના ટાઈગરનું થયું મોત
મિનેસોટા ઝૂએ અહેવાલ આપ્યો હતો કે પુતિન ટાઇગરની ઉંમર 12 વર્ષની છે. તેને 2015 માં મિનેસોટા પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યો હતો. તેમનો જન્મ 2009માં ચેક રિપબ્લિકમાં થયો હતો. જન્મ બાદ તેમને પુતિન નામ આપવામાં આવ્યું હતું. આ પછી, તેણે ડેનમાર્કના પ્રાણી સંગ્રહાલયમાં 6 વર્ષ વિતાવ્યા, ત્યારબાદ તેને મિનેસોટા ઝૂ લાવવામાં આવ્યો. જોકે પશુચિકિત્સકો, પશુ આરોગ્ય ટેકનિશિયનોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાયો ન હતો.
પ્રાણી સંગ્રહાલયે શોક મનાવ્યો
પ્રાણી સંગ્રહાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, અહીંનો સ્ટાફ છેલ્લા 40 વર્ષથી વાઘની સંભાળ લઈ રહ્યો છે. આ દરમિયાન મિનેસોટા ઝૂના પ્રાણી સંગ્રહાલય પરિસરમાં 44 વાઘનો જન્મ થયો હતો. ઝૂના ડિરેક્ટર જ્હોન ફ્રેલેએ જણાવ્યું હતું કે પુતિનના મૃત્યુ પછી તે આપણા બધા માટે મુશ્કેલ દિવસ હતો. આવી સ્થિતિમાં, અમે અમારા માનીતા વાઘના મોતનો શોક પાળીશું.
ઝૂમાં 103 અમુર ટાઇગર્સ
અમુર વાઘની પ્રજાતિનું અસ્તિત્વ બચાવવા માટે પુતિન વાઘની આરોગ્ય તપાસ કરવી પડી હતી. આ અંતર્ગત બચ્ચાના સંવર્ધન માટે તેમની પાસેથી સેમ્પલ લેવામાં આવ્યા હતા. પ્રાણી સંગ્રહાલયે જણાવ્યું હતું કે એસોસિએશન ઓફ ઝુ અને એક્વેરિયમ (એઝેડએ) દ્વારા માન્યતા પ્રાપ્ત ઉત્તર અમેરિકાના પ્રાણી સંગ્રહાલયમાં લગભગ 103 અમુર વાઘ છે. સાથે જ એવું પણ માનવામાં આવે છે કે જંગલમાં 500થી પણ ઓછા અમુર વાઘ વસવાટ કરી રહ્યા છે.
પુતિનનો વંશવેલો વધ્યો
પ્રાણી સંગ્રહાલયે જણાવ્યું હતું કે પુતિનના પરિવારમાં હવે નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2017માં તેમના મિનેસોટા પ્રાણી સંગ્રહાલયમાં અનેક બચ્ચાઓનો જન્મ થયો હતો. પ્રાણી સંગ્રહાલયના પશુ સંભાળ, આરોગ્ય અને સંરક્ષણના વડા ડો.ટેલર યોગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પુતિનની આરોગ્ય તપાસ એક નિયમિત પ્રક્રિયા છે, જે વાઘની સંભાળ અને સંરક્ષણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન તમામ જરૂરી સાવચેતી રાખવામાં આવી હતી અને ટીમે પુતિનને બચાવવા માટે તેમનાથી બનતું બધું જ કર્યું હતું.