હાલના સમયમાં કંઈ પણ કહેવું અઘરું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના મગજમાં શું ચાલે છે. વિશાળકાય રશિયાની સેનાએ યુક્રેનનો ઘેરાવ કર્યો છે
રશિયા અને યુક્રેન વચ્ચે છેડાઈ ચુક્યું છે યુદ્ધ
પુતિનના મગજમાં શું ચાલી રહ્યું છે, તે કહેવું અઘરુ
અપમાનનો લઈ રહ્યા છે બદલો
હાલના સમયમાં કંઈ પણ કહેવું અઘરું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ પુતિનના મગજમાં શું ચાલે છે. વિશાળકાય રશિયાની સેનાએ યુક્રેનનો ઘેરાવ કર્યો છે અને ત્યાં એકઠાનું કારણ શું છે. તેનો વિશાળ આકાર ( દ્વિતિય વિશ્વ યુદ્ધ બાદ યુરોપમાં લડાયક સેનાની સૌથી મોટી ભીડ ) એક અધિકતમવાદી વિચાર તરફ ઈશારો કરે છે. કારણ છે કે, યુક્રેનના અલગ અલગ મોર્ચા પર મોટા પાયે, લાહીયાળ અને ઝડપી આક્રમણ કરીને 30 વર્ષ પહેલા સોવિયત સંઘના તૂટવાનું અપમાન ખતમ કરવાનું છે. હકીકતમાં હાલના સમયે એક મોટા પાયે હુમલો નિશ્ચિત લાગે છે. અનુમાનિત 80 ટકા રશિયાઈ સેના હવે યુદ્ધ માટે તૈયાર સ્થિતીમાં છે અને પૂર્વી યુક્રેનમાં અલગાવવાદી નેતાઓએ ઔપચારિક રીતે મદદનો અનુરોધ કર્યો છે. જેની પાછળ તેમનું યુક્રેનની સેના તરફથી હુમલો કર્યો હોવાનો ખોટો દાવો છે.
વિશ્વના જાણકારોના મતે
અમુક લોકો તેને અલગ રીતે જોઈ રહ્યા છે, તેમનો વિશ્વાસ છે કે, પુતિન પોતે અત્યાર સુધીના વ્યક્તિગત લાભથી સંતુષ્ટ હશે. અમુક લોકો પૂર્વી યુક્રેનમાં અલગ થયેલા વિસ્તાર ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને રશિયાની માન્યતાને તે પશ્ચિમી નેતાઓ માટે એક અગ્રિમ ચેતવણી તરીકે માને છે, જેમણે રશિયાની સુરક્ષા ચિંતાઓને વારંવાર નજરઅંદાજ કર્યું છે. એક અન્ય દ્રષ્ટિકોણ થી જાણીએ તો, પુતિન એ જ હાઈબ્રિડ રણનીતિને પસંદ કરશે, જેવી રીતે જોર્જિયા સાથે 2008ના યુદ્ધમાં રશિયાએ અપનાવી હતી. બળ પ્રયોગ કરવાની ધમકી આપવી, અલગ થનારા વિસ્તારોને માન્યતા આપવી અને પોતાના વિરોધીઓની સેનાને નષ્ટ કરવી, પણ વાસ્તવિક વિજયથી દૂર રહેવું.
પુતિનનો ગુસ્સો કેટલો યોગ્ય ?
કંઈ પણ થઈ શકે છે, પણ રશિયાના ઉદ્દેશ્યોની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય. આ પ્રશ્ન 22 ફેબ્રુઆરીએ મોસ્કોમાં પોતાની સુરક્ષા પરિષદની સાથે પુતિનની વિચિત્ર બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું છે. બેઠકમાં તેમણે રશિયાના જાસૂસ પ્રમુખ સર્ગેઈ નારિશ્કિનને શિખામણને ભૂલી જવા અને ડોનેટ્સ્ક અને લુહાન્સ્કને સ્વતંત્ર માન્યતા આપવાની જગ્યાએ, તેમને સીધા રશિયામાં શામેલ કરવાનું સમર્થન કરવા માટે અપમાનિત કર્યા. બેઠક પૂર્વનિયોજીત હતી. ત્યાં સુધી કે, પુતિનની પોતાની ઘડિયાળ પર બતાવામાં આવેલો સમય પણ એ બતાવી રહ્યો છે કે, ડોનેટ્સ્ક અને લુહાન્સ્કની સ્વતંત્રતાને માન્યતા આપવામાં હસ્તાક્ષર સમારંભ તેમના પ્રમુખો સાથે બેઠક શરૂ થતાં પહેલા થઈ ચુકી હતી. પણ બાદમાં પુતિનના ગુસ્સે ભરાયેલા ભાષણોથી સ્પષ્ટ થઈ ગયું છે કે, આ સંઘર્ષ કેટલો વ્યક્તિગત થઈ શકે છે.
માસ્ટર રણનીતિકાર પુતિન
તેમણે વિસ્તારથી કહ્યું કે, યુક્રેશન કઠપૂતળીના શાસનની સાથે એક ઉપનિવેશ હતો અને તેને અસ્તિત્વનો કોઈ અધિકાર નહોતો. તેણે યુએસએસઆરના પતન વિશે પુતિનને 2021ના લેખની યાદ અપાવી. જ્યારે તેમણે એવું કહીને યુક્રેનિયન સંપ્રભુતા અને ઓળખવાની ના પાડી દીધી કે રશિયા અને યુક્રેનના લોકો એક જ હતા. આ અઠવાડીયામાં ભાષણમાં તેમને ખોટો દાવો કર્યો કે, રશિયન ક્રાંતિકારી વ્લાદીમીર લેનિને યુક્રેનનું નિર્માણ કર્યું, શક્તિશાળી જોસેફ સ્ટાલિનના વખાણ કરતા આ કાલ્પનિક આરોપ સામેલ હતો કે, યુક્રેન પરમાણુ હથિયાર વિકસિત કરવાની કોશિશ કરશે. આવું કરતા, પુતિન એક વ્યવહારિક માસ્ટર રણનીતિકારની તુલનામાં ઈતિસાહની એક અસ્થિર સમજવાળા એક રશિયાઈ અતિ રાષ્ટ્રવાદી માફક દેખાઈ રહ્યા હતા.
શું છે પુતિનનો ઈરાદો
ઈતિહાસને ફરીથી લખવાના એક વ્યક્તિગત મિશનને તેમની આ વાતોને ઘરેલૂ રણનીતિ માનીને ફગાદી દીધી હતી. પૂર્ણ કમાનમાં એક રાષ્ટ્રપતિ જે સંઘર્ષથી સાવધાન વસ્તીથી દેશભક્તિની અપીલ કરે છે. પણ એવું લાગે છે કે, પુતિન તેને શીત યુદ્ધના અંતના ઈતિહાસને ફરીથી લખવા પોતાના વ્યક્તિગત મિશન તરીકે માને છે. આ તેમની વિરાસત વિશે તેમની ચિંતાથી હટકે છે. અથવા તો રશિયા તેમની પૂર્વ મહાનતના ખોલીને પોતાના વચનો પુરા કરવાની ઈચ્છાથી અલગ છે. રશિયાની સરહદ પર નાટો નિરંતર ખતરાની કહાનીની જગ્યાએ તે મિશન હજૂ પણ તેમની આક્રમકતાનું અસલી કારણ લાગે છે.
હકીકતમાં જોઈએ તો, યુક્રેનની સરહદ પર તેમની વિશાળ સેનાનો જમાવડો રશિયા પર નાટો અને સંભવિત પશ્ચિમી આક્રમણ પર તેની કથિત ચિંતાઓને ઓછી કરે છે. તેના માટે તેમને એસ્ટોનિયા અને લાતવિયાની સાથે સરહદ પાસે સમગ્ર ગૈરીસનને સ્થળાંતરિત કરવાની જરૂર છે, જે બંને નાટોના સભ્ય છે.