રશિયા-યુક્રેન જંગ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) પોતાની વિરૂદ્ધમાં ગયેલા દેશો પર કાર્યવાહી કરવાના મૂડમાં છે. તેઓએ રશિયાનો વિરોધ કરી રહેલાં દેશોની યાદી બનાવવાનો આદેશ આપ્યો છે.
રશિયા-યુક્રેન વચ્ચે સોમવારના થશે ત્રીજા રાઉન્ડની વાતચીત
આ દેશો વિરૂદ્ધ રશિયા જવાબી કાર્યવાહી કરશે. એ માટે પુતિને વિશેષ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ સાથે જ 8 માર્ચથી રશિયાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટો પણ બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. યાત્રી અને માલવાહક ફ્લાઇટોને રોકવાની જાહેરાત પણ કરી છે. પશ્ચિમી દેશો દ્વારા લાગેલા પ્રતિબંધોને ધ્યાને રાખતા એરોફ્લોટ કંપનીએ આ નિર્ણય લીધો છે. તમને જણાવી દઇએ કે, અજરબૈજાન, આર્મેનિયા, કઝાકિસ્તાન, કતર, UAE અને તુર્કીના રસ્તેથી રશિયન નાગરિકો પરત ફરી રહ્યાં છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ચેતવણી આપતા જણાવ્યું કે, 'યુક્રેનના દેશનો દરજ્જો ખતરામાં છે. તેઓએ પશ્ચિમી પ્રતિબંધોને રશિયા વિરૂદ્ધ 'યુદ્ધની જાહેરાત' કરાર કરતા જણાવ્યું કે, 'કબજામાં આવેલા બંદરીય શહેર મારિયુપોલમાં આતંકી ઘટનાઓના કારણે યુદ્ધવિરામ ભંગ થયું હતું. દરમિયાન, યુક્રેનના અધિકારીઓએ શનિવારે એવો દાવો કર્યો હતો કે, રશિયન દળોએ મારિયુપોલમાં બોમ્બ ધડાકાને વધુ તીવ્ર બનાવ્યું છે અને કીવની ઉત્તરે ચેરનીહિવના રહેણાંક વિસ્તારો પર શક્તિશાળી બોમ્બ ફેંકી રહ્યાં છે." તેઓ (યુક્રેની) શું કરી રહ્યાં છે અને જો તેઓ તેને ચાલુ રાખશે તો તેઓ યુક્રેનના દેશના દરજ્જા પર સવાલ ઉઠાવવાનું આહ્વાન કરી રહ્યાં છે." પુતિને કહ્યું કે, 'જો આવું થશે તો તેની માટે તેઓ સંપૂર્ણપણે જવાબદાર રહેશે.'
પુતિને પશ્ચિમી દેશોને લીધા આડે હાથ
રશિયન રાષ્ટ્રપતિ પુતિને રશિયાની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડવું તેમજ તેની મુદ્રાને નબળી પાડવા માટે લગાવવામાં આવી રહેલા પ્રતિબંધો પર પશ્ચિમી દેશોને આડે હાથ લેવામાં આવ્યાં. પુતિને રશિયન ઉડ્ડયન કંપની એરોફ્લોટના ફ્લાઇટ એટેંડેંટ સાથે થયેલી મુલાકાતમાં જણાવ્યું કે, 'લગાવવામાં આવી રહેલા પ્રતિબંધ યુદ્ધની જાહેરાત સમાન છે.' આ સાથે યુક્રેનના અધિકારીઓએ દાવો કર્યો છે કે, રશિયન આર્ટિલરી અને વિમાનોએ લોકોને ખાલી કરાવવાની કામગીરી સાથે બોમ્બમારો કર્યો. જ્યારે પુતિને યુક્રેન પર આ પ્રક્રિયાને ધ્વસ્ત કરવાનો આરોપ લગાવ્યો.
આ સાથે જ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને રોકવા માટે અત્યાર સુધીમાં બે વખત વાતચીત થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં ત્રીજા રાઉન્ડની વાતચીતની તારીખ પણ સામે આવી ગઈ છે. યુક્રેનના અધિકારી ડેવિડ અરખામિયાએ શનિવારે જણાવ્યું કે, રશિયા-યુક્રેન વચ્ચે આગામી તબક્કાની વાતચીત હવે સોમવારનાં યોજાશે. અરખામિયા યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સર્વન્ટ ઑફ ધ પીપલ પાર્ટીના સંસદીય પક્ષના વડા અને રશિયા સાથે વાતચીત માટે દેશના પ્રતિનિધિ મંડળના સભ્ય છે. સોમવારે વાટાઘાટોનો ત્રીજો રાઉન્ડ થશે કારણ કે બંને પક્ષો યુદ્ધવિરામ અને નાગરિકો માટે સલામત માર્ગ માટે વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે.