યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે, રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે આ સમયે એવું કંઈ નથી જેના કારણે રશિયામાં લશ્કરી કાયદો લાદવામાં આવે.
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે પુતિનનુ મોટું નિવેદન
રશિયામાં માર્શલ લૉ લગાવવાથી કર્યો ઈનકાર
યુક્રેન સમર્થક રાષ્ટ્રોને આપી ધમકી
આપને જણાવી દઈએ કે, પુતિને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી હતી કે રશિયામાં માર્શલ લૉ લાગુ થઈ શકે છે.
લશ્કરી કાયદો લાદવાની સ્થિતિમાં નથી!
પુતિને કહ્યું કે જે દેશમાં બહારી હુમલો થાય છે ત્યાં માર્શલ લૉ લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમને રશિયામાં આવી કોઈ સ્થિતિ દેખાતી નથી અને આશા છે કે આવી સ્થિતિ ઊભી ન થાય.
બહારની દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ કહ્યું હતું કે મોસ્કો યુક્રેન પર ‘No Fly Zone’ જાહેર કરનાર કોઈપણ તૃતીય પક્ષને "યુદ્ધમાં જોડાવા" પર વિચાર કરશે. મહિલા પાયલોટ સાથેની બેઠકમાં પુતિને શનિવારે કહ્યું હતું કે આ દિશામાં કોઈપણ પગલાને રશિયા દ્વારા બહારની દખલ અને રશિયન સૈન્ય માટે ખતરો માનવામાં આવશે. "તે જ ક્ષણે અમે તેમને લશ્કરી સંઘર્ષમાં સામેલ હોવાનું ધ્યાનમાં લઈશું અને તેઓ કોના સભ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
નાટોને આ વાત કહી
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ નાટોને વિનંતી કરી છે કે તેઓ તેમના દેશની એરસ્પેસને 'નો ફ્લાય ઝોન' જાહેર કરે. નાટોનું કહેવું છે કે આવા 'નો ફ્લાય ઝોન' જાહેર કરવાથી યુક્રેનની ઉપર તમામ અનધિકૃત વિમાનો પર પ્રતિબંધ લાગશે, જે પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે યુરોપિયન દેશોનું મોટા પાયે યુદ્ધ તરફ દોરી જશે.