પુતિનએ મોસ્કોમાં પોતાના ભાષણ દરમિયાન ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રશિયા ભારતની સાથે પોતાનો સહયોગ અને વેપાર વધારવાનું ચાલુ રાખશે. તેમણે હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર ફોકસ વધારવા પર ભાર મૂક્યો હતો.
રશિયાનાં રાષ્ટ્રપતિ પુતિન યૂક્રેનની સાથેનાં પોતાના યુદ્ધને એકવર્ષ પૂર્ણ થતાં દેશને સંબોધિત કર્યું હતું. રાજધાની મોસ્કોનાં ગોસ્ટિવની ડાવર હોલમાં પોતાના ભાષણ દરમિયાન તેમણે કહ્યું કે સતત નાઝીના જોખમથી પીડાઈ રહેલો રશિયા યૂક્રેનમાં સ્પેશિયલ ઓપરેશન કરી રહ્યું છે. તેમણે પોતાના ભાષણમાં ભારતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રશિયા ભારતની સાથે પોતાના સહયોગ અને વ્યાપારને વધારવાનું ચાલુ જ રાખશે.
પુતિનએ હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર ભાર આપ્યો
તેમણે એશિયામાં ભારત, ચીન વગેરે દેશો સાથે વ્યાપારને વધારવા માટે નોર્થ-સાઉથ કોરિડોર બનાવવાની ઘોષણા કરી હતી. પુતિનએ હિંદ-પ્રશાંત ક્ષેત્ર પર ભાર આપતાં કહ્યું કે ' અમે ભારત, ઈરાન, પાકિસ્તાનની સાથે સહયોગ વધારવાની આશા રાખીએ છીએ. અમે ભારતની સાથે પોતાનાં વ્યાપારને વધારો આપવા માટે ઉત્તર-દક્ષિણ કોરિડોરને બનાવવાનાં કામને ચાલુ રાખશું.'