આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ: પીએમ મોદી
PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગલી વેંકૈયાને યાદ કર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે સંવાદ કર્યો હતો. આ વખતે પીએમ મોદી આઝાદીના અમૃત મહોત્સવ કાર્યક્રમની વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું, "આ વખતે 'મન કી બાત' ખૂબ જ ખાસ છે. તેનું કારણ આ વખતે સ્વતંત્રતા દિવસ છે, જ્યારે ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરશે. આપણે બધા એક ખૂબ જ અદ્ભુત અને ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા જઈ રહ્યા છીએ. 31મી જુલાઈ એટલે કે આ દિવસે આપણે સૌ દેશવાસીઓ શહીદ ઉધમસિંહજીની શહાદતને નમન કરીએ છીએ. હું અન્ય તમામ મહાન ક્રાંતિકારીઓને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું જેમણે દેશ માટે તેમના જીવનનું આહુતિ આપી.
આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ: પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું કે, "મને એ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે આઝાદીનો અમૃત ઉત્સવ એક જન આંદોલનનું સ્વરૂપ લઈ રહ્યો છે. તેને લગતા વિવિધ કાર્યક્રમોમાં દરેક ક્ષેત્રના અને સમાજના દરેક વર્ગના લોકો ભાગ લઈ રહ્યા છે. સ્વતંત્રતાના અમૃત મહોત્સવના ભાગરૂપે 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન એક વિશેષ આંદોલન 'હર ઘર તિરંગા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ ચળવળનો હિસ્સો બનીને 13 થી 15 ઓગસ્ટ સુધી તમારે તમારા ઘરે ત્રિરંગો ફરકાવો અથવા તેને તમારા ઘરે મુકવો. 2 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી આપણે બધા આપણા સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરમાં ત્રિરંગો મૂકી શકીએ છીએ.
રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગલી વેંકૈયાને યાદ કરી શું કહ્યું ?
મન કી બાત કાર્યક્રમમાં પીએમ મોદીએ પિંગલી વેંકૈયાને યાદ કર્યા હતા. તેમણે કહ્યું 2 ઓગસ્ટએ આપણા રાષ્ટ્રધ્વજની રચના કરનાર પિંગાલી વેંકૈયા જીની જન્મજયંતિ છે. હું તેમને મારી આદરપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આયુષે વૈશ્વિક સ્તરે કોરોના સામે મહત્વની ભૂમિકા ભજવી છે. વિશ્વમાં આયુર્વેદ અને ભારતીય દવાઓ તરફ આકર્ષણ વધી રહ્યું છે. તાજેતરમાં જ ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટ યોજાઈ હતી. જેમાં લગભગ 10 હજાર કરોડ રૂપિયાના રોકાણના પ્રસ્તાવો મળ્યા છે. ભારતીય વર્ચ્યુઅલ હર્બેરિયમ જુલાઈ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
ખેડૂતો માટે શું કહ્યું ?
ખેડૂતો વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે, મધની મીઠાશ આપણા ખેડૂતોનું જીવન બદલી રહી છે અને તેમની આવકમાં વધારો કરી રહી છે. મધ આપણને માત્ર સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય પણ આપે છે. આજે મધ ઉત્પાદનમાં એટલી બધી શક્યતાઓ છે કે, વ્યવસાયિક અભ્યાસ કરી રહેલા યુવાનો પણ તેને પોતાનો સ્વરોજગાર બનાવી રહ્યા છે. પીએમએ કહ્યું, દેશમાં મેળાઓનું પણ ઘણું સાંસ્કૃતિક મહત્વ છે. મેળા લોકો અને મન બંનેને જોડે છે.
ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ માટે શું કહ્યું ?
PMએ ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ માટે કહ્યું કે, આજે આપણા યુવાનો દરેક ક્ષેત્રમાં દેશને ગૌરવ અપાવી રહ્યા છે. આ મહિને પીવી સિંધુએ સિંગાપોર ઓપનનું પોતાનું પ્રથમ ટાઇટલ જીત્યું છે. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શનને જારી રાખતા નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ દેશ માટે સિલ્વર મેડલ જીત્યો છે. ચેન્નાઈમાં 44મી ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરવી એ ભારત માટે પણ એક મહાન સન્માનની વાત છે. આ ટુર્નામેન્ટ 28મી જુલાઈએ જ શરૂ થઈ છે અને મને તેના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. થોડા દિવસો પહેલા ધોરણ 10 અને 12 નું પરિણામ પણ દેશભરમાં જાહેર કરવામાં આવ્યું છે, હું તે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું જેમણે તેમની મહેનત અને સમર્પણથી સફળતા પ્રાપ્ત કરી છે.