વાસ્તુશાસ્ત્ર મુજબ લક્ષ્મીજીની કૃપા હોય તો જ પર્સમાં પૈસા રહે છે. જો તમારી પાસે પર્સમાં પૈસા બચતા ન હોય જલ્દી ખર્ચાઈ જતા હોય તો પર્સને લગતી આ 5 વસ્તુઓનું હંમેશા ધ્યાન રાખો...
વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂના કાગળોમાં રાહુનો વાસ હોય છે. તેથી જૂની રસીદ બીલ નકામાં કાગળિયાં વગેરે પર્સ રાખવામાં આવે તો ઘનની આવક ઓછી થઇ જાય છે.
ફાટેલું પર્સ આર્થિક નુકસાન કરવાવાળું મનવામાં આવે છે તેથી પર્સ ફાટે તો તેને તરત જ બદલી લેવું જોઇએ.
પર્સમાં દવાઓ રાખવા ધનહાનીનું કારણ મનાય છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે નકારાત્મક ઉર્જા વધારવાનું કામ કરે છે.
વોલેટમાં ચપ્પુ બ્લેડ જેવી અણીદાર અને લોખંડની વસ્તુઓ ન રાખવી જોઇએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર તાબું અને ચાંદીની વસ્તુઓ પર્સમાં રાખવી શુભ માનવામાં આવે છે.
ખાણી-પીણીની વસ્તુઓ જેવી કે ચોકલેટ પાન મસાલા જેવી વસ્તુઓ પર્સમાં ન રાખવી જોઇએ તેમ કરવાથી ધનહાનિનો સામનો કરવો પડે છે.