કેજરીવાલના નિવેદન પર ભાજપે કહ્યું, એક મંત્રીએ દેવી-દેવતાઓની મજાક ઉડાવી છે અને આજે તે હિન્દુ બનવાની કોશિશ કરી રહ્યો છે
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ચલણી નોટોને લઈ કરી માંગ
ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ
આ લોકો ભગવાનને બેસાડનારા નથી પરંતુ તેમને હટાવનારા લોકો: ભાજપ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય ચલણી નોટો પર લક્ષ્મી-ગણેશની તસવીર લગાવવાની માંગ કરી હતી. હવે આ નિવેદનને લઈને ઘણો વિવાદ શરૂ થઈ ગયો છે. સીએમ કેજરીવાલના આ નિવેદન પર ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે, આ લોકો ભગવાનને બેસાડનારા નથી પરંતુ તેમને હટાવનારા લોકો છે. ભાજપના વરિષ્ઠ નેતા શાહનવાઝ હુસૈને દિલ્હીના સીએમ પર નિશાન સાધતા કહ્યું કે, કેજરીવાલે પોતાની પાછળથી ગાંધીજીનો ફોટો હટાવી લીધો છે.
અરવિંદ કેજરીવાલના નિવેદનને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ બકવાસ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે. એક મંત્રીએ દેવી-દેવતાઓની મજાક ઉડાવી છે અને આજે તે હિન્દુ બનવાની કોશિશ કરી રહ્યો છે. પ્રશ્ન પૂછતા સંબિત પાત્રાએ કહ્યું કે. આ લોકો કેવા ડોળ કરી રહ્યા છે? આ એ જ કેજરીવાલ જી છે, જેમણે કહ્યું હતું કે. હું રામ મંદિરમાં પૂજા કરવા જઈશ નહીં. પરંતુ આજે આ કેજરીવાલ યુ-ટર્ન લઈ રહ્યા છે. સ્વસ્તિક પ્રતિકને ઝાડુ મારવાની કામગીરી કરવામાં આવી હતી. અમારી પાસે આજે પણ તેમનું ટ્વીટ છે, આજે અરવિંદ કેજરીવાલ આવી વાત કરી રહ્યા છે.
આ સાથે સંબિત પાત્રાએ દારૂની નીતિને લઈને પણ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેમણે એક્સાઈઝ ડ્યુટીમાં પૈસા કમાયા છે, જે લોકો દારૂમાં કૌભાંડ કરે છે, જનતા તેમને માફ નહીં કરે. તેમાં કોઈ શંકા નથી, હિન્દુસ્તાન પર મહાદેવ અને રામની કૃપા છે. માતાના આશીર્વાદ નથી, આ દોષ લક્ષ્મીજી પર નાખવામાં આવે છે, તેમને શરમ આવવી જોઈએ, માતાના આશીર્વાદ આપણા બધા પર છે.
શું કહ્યું હતું અરવિંદ કેજરીવાલે ?
આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બુધવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે, મહાત્મા ગાંધીની સાથે ગણેશ અને લક્ષ્મીની તસવીર પણ નોટો પર લગાવવી જોઈએ. તેમણે કહ્યું કે. એક તરફ દેશનું ચલણ કમજોર થઈ રહ્યું છે તો બીજી તરફ અર્થવ્યવસ્થા પણ મંદીમાં છે. જ્યારે પણ આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ. ભૂતકાળમાં દિવાળી પર આપણે બધા શ્રી લક્ષ્મી અને શ્રી ગણેશની પૂજા કરતા હતા.
કેજરીવાલે વધુમાં કહ્યું કે આવી સ્થિતિમાં મારી અપીલ છે કે.રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે શ્રી લક્ષ્મીજી અને શ્રી ગણેશજીની તસવીર ભારતીય ચલણ એટલે કે નોટો પર લગાવવામાં આવે. આ દરમિયાન કેજરીવાલે કહ્યું કે, નોટ પર ગાંધીજીની તસવીર જેમ છે તેમ રાખવી જોઈએ, પરંતુ એક તરફ દેવતાઓની તસવીર લગાવવી જોઈએ.