આયુર્વેદમાં નાકમાં ઘી નાખવાની પ્રક્રિયા સામેલ છે. એવું માનવામાં આવે છે કે દિવસમાં બે વખત નાકમાં ઘી નાખવાથી ઘણી ગંભીર સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
આયુર્વેદમાં દરેક બીમારીનો ઇલાજ જોવા મળે છે
સૂતી વખતે નાકમાં ઘીનાં બે ટીપાં કેમ નાખવાં જોઈએ?
નાકમાં ઘી નાખવાના ફાયદા જાણો
આયુર્વેદમાં દરેક બીમારીનો ઇલાજ જોવા મળે છે. હજારો વર્ષો જૂની આ પદ્ધતિથી બીમારીઓનો ઇલાજ આયુર્વેદિક ઔષધિઓથી કરવામાં આવે છે, તેમાં એક ઉપાય નસ્ય પણ છે. આયુર્વેદમાં ખભાથી ઉપર થતા વિકારો માટે નસ્ય સૌથી સારી ટ્રીટમેન્ટ માનવામાં આવે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે નાક એ માથાનું પ્રવેશદ્વાર છે. માથું, વાળ, દાંત, કાન, નાક, આંખ અને સમગ્ર સ્વાસ્થ્ય સંબંધિત વિકારોમાં તે મદદ કરે છે. આયુર્વેદમાં નાકમાં ઘી નાખવાની પ્રક્રિયા સામેલ છે. એવું માનવામાં આવે છે કે દિવસમાં બે વખત નાકમાં ઘી નાખવાથી ઘણી ગંભીર સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
નાકમાં ઘી નાખવાના ફાયદાઃ
આ આયુર્વેદિક ઉપાય સારી ઊંઘ લાવવા, ત્વચામાં ચમક લાવવા, ઇમ્યુનિટી અને મેમરીમાં સુધારો લાવવા, એલર્જી ઘટાડવા, મેન્ટલ હેલ્થમાં સુધારો કરવા, વાળ ખરવા કે સફેદ થવાથી બચવા, તણાવ ઘટાડવા અને નસકોરાંને ઘટાડવા તેમજ મગજને પોષણ આપવામાં સહાયક છે.
નસ્ય ઉપચારના લાભ:
નસ્ય ઓટો ઇમ્યુન ડિસઓર્ડરમાં સહાયક છે. તે ઓટો ઇમ્યુન થાઇરોઇડ, મિલ્ટપલ સ્કેલેરોસીસથી પીડિત લોકોને રાહત આપે છે. તણાવ, માથાનો દુખાવો, મગજની ગરમી દૂર કરવા, વાળની સમસ્યા દૂર કરવામાં, ઓછું કે ધૂંધળું દેખાવામાં કે અનિદ્રા વગેરેથી રાહત મળી શકે છે.