દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઇ શરૂ થઇ જાય, ઘરને ચમકાવી દઇએ અને પછી ઘરેણા ખરીદવા માટેની ચર્ચાઓ શરૂ થઇ જાય. ધનતેરસ અને પુષ્ય નક્ષત્ર આ બંને યોગ એવા છે જેમાં સોનુ ખરૂદવાને શુભ માનવામાં આવે છે. 2020ના ક્યા મૂર્હુતમાં સોનુ ખરીદવું શુભ રહેશે તે આજે અમે તમને જણાવીશું.
સોનાની ખરીદી કરવાના મૂર્હુત
પુષ્ય નક્ષત્રનો અનોખો યોગ
કુયોગની અશુભતા કરશે દુર
ક્યારે છે મૂર્હુત
રવિયોગ અને રવિપુષ્યયોગ 07 નવેમ્બરે શનિવારે સવારે 8:39થી લઇને રવિવારે સવારે 8:00 સુધી ચાલશે. મૂર્હુત ગ્રંથો અનુસાર કુલ 30 મૂર્હુત છે. આ મૂર્હુતમાં તમે કોઇ પણ શુભ કાર્ય કરી શકો છો. તમારા જીવનનું શ્રેષ્ઠ કાર્ય આ મૂર્હુતમાં તમે શરુ કરશો તો તેનું સારુ પરિણામ આવશે.
કેટલાક લોકોને કોરોનાના કારણે ધાર્મિક વિધીઓ, પૂજા પાઠ કે કથા જેવા કાર્યો અધૂરા રહી ગયા હશે. તેવા કાર્યો પણ તે આ મૂર્હુતમાં પૂર્ણ કરી શકે છે. લગ્નની ખરીદી કરવા માટે પણ આ દરેક મૂર્હુત શુભ છે.
આ મૂર્હુતમાં ઘણા બધા યોગ છે જેમાંથી કુયોગની અશુભતાને દુર કરનારો યોગ રવિપુષ્ય યોગ છે. જ્યારે તમામ નક્ષત્રોમાં સૌથી શુભ અને શ્રેષ્ઠ યોગ પુષ્ય નક્ષત્રને માનવામાં આવે છે. અભિજીત મૂર્હુતને નારાયણના સુદર્શન ચક્ર તરીકે ગણવામાં આવે છે.
જો તમે પણ દિવાળીએ ખરીદી કરવા માંગો છો તો આ મૂર્હુતને ધ્યાનમાં રાખીને જ ખરીદી કરવા જજો, જેથી તમારો ફાયદો થશે અને અશુભ મૂર્હુતમાં ખરીદી કરતા પહેલા તમે બચી જશો.