જ્યોતિષમાં 27 નક્ષત્રોના ચક્રમાં પુષ્ય આઠમો નક્ષત્ર છે. આ નક્ષત્રને રાજા કહેવામાં આવે છે. તેના દેવતા બૃહસ્પતિ અને સ્વામી શનિ છે. દિવાળી પહેલાં પુષ્ય નક્ષત્ર આવે તે શુભ માનવામાં આવે છે. આ સમયે કરેલું કોઈપણ કામ ફળદાયી મનાય છે. વારની સાથે પુષ્ય નક્ષત્રનો સંયોગ હોવાથી ગુરુ પુષ્ય, રવિ પુષ્ય, શનિ પુષ્ય, બુધ પુષ્ય જેવા મહાસંયોગનું પણ નિર્માણ થાય છે. આ સમયે કરેલી ખરીદી શુભ માનવામાં આવે છે.
આ વર્ષે દિવાળી પહેલાં આવશે શુભ પુષ્ય નક્ષત્ર
21 અને 22 ઓક્ટોબર એમ 2 દિવસ સુધી રહેશે પુષ્ય નક્ષત્ર
જાણો કયા દિવસે કઈ વસ્તુની ખરીદી ગણાશે શુભ
પુષ્ય નક્ષત્રનો સમય અને મૂહ્રુર્ત
જાણો પુષ્ય નક્ષત્રનો સમય
પુષ્ય નક્ષત્રનો સમય 21 ઓક્ટોબર બપોરે 01.39થી 22 ઓક્ટોબર બપોરે 3.38 સુધી રહેશે. આ સમયે ઘરમાં નવી વસ્તુ લાવવાનું શુભ માનવામાં આવે છે.
21 ઓક્ટોબરે છે વિશેષ સંયોગ, ખરીદો આ ચીજો
21 ઓક્ટોબરના દિવસે સોમવાર હોવાથી પુષ્યની સાથે સવાર્થ સિદ્ધિનો યોગ બની રહ્યો છે. આ દિવસે સોનું, ચાંદી અને ધાર્મિક વસ્તુ ખરીદવાનું શુભ માનવામાં આવે છે.
22 ઓક્ટોબરનો વિશેષ સંયોગ, ખરીદો આમાંની કોઈ પણ ચીજ
22 ઓક્ટોબરે મંગળવાર છે, આ દિવસે પુષ્ય નક્ષત્ર હોવાના કારણે વર્ધમાન યોગ બની રહ્યો છે. મંગળવારે મકાન, સજાવટની ચીજો કે સોફા, વાહન વગેરે ખરીદી શકાય છે. આ શુભ યોગમાં રોકાણ કરવાથી પણ ધનની વૃદ્ધિ થાય છે.
પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે, કરો દેવી લક્ષ્મીની પૂજા
પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ છે જે લાંબા સમય સુધી રહેનારો ગ્રહ છે. આ નક્ષત્રમાં કરેલી ખરીદી લાંબા સમય સુધી તમારી સાથે રહે છે. આ દિવસ મા લક્ષ્મીનો પ્રિય નક્ષત્ર છે. આ દિવસે પ્રસન્નતા માટે મા લક્ષ્મીની પૂજા કરો. પુષ્ય નક્ષત્રમાં મહાલક્ષ્મીના મંદિરમાં જઈને 108 ગુલાબના ફૂલ અર્પિત કરો. ઘરમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થશે. ચોખાની ખીરનો પ્રસાદ દેવી લક્ષ્મીને ધરાવો.
પુષ્ય નક્ષત્રમાં કરો આ કામ
પુષ્ય નક્ષત્રમાં શ્રીસૂત્ત્કના 108 પાઠ કરવાથી આર્થિક સંકટનો નાશ થાય છે. સુખ અને સૌભાગ્ય મળે છે. વૈવાહિક જીવનમાં સામંજસ્ય અને ખુશહાલી આવે છે. શિવ પરિવારનું વિધિ વિધાન સાથે પૂજન કરવાથી લાભ મળે છે. સાથે કન્યાઓને બેસનના લાડુનું દાન કરવાથી પણ ફાયદો થાય છે. આ દિવસે મૂહૂર્તમાં મકાન, વાહન, આભૂષણની ખરીદી શ્રેષ્ઠ રહે છે. આ યોગમાં ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ચાલે છે અને શ્રેષ્ઠ ફળ આપે છે.