આણંદના ખંભાતમાં રામનવમીના દિવસે પથ્થર મારાની ઘટના બાદ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. આજે ખંભાત પાલિકા દ્વારા સરકારી જમીન પર દબાણકારો નોટીસ આપી હતી.
ખંભાત રામનવમી શોભાયાત્રા પર પથ્થર મારાની ઘટના બાદ તંત્ર સતર્ક
પાલિકા દ્વારા સરકારી જમીન પર દબાણો હટાવાયા
સિટી સર્વેના અધિક મામલતદાર દ્વારા દબાણકારોને અપાઇ નોટિસ
આણંદના ખંભાતમાં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં. ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે તંત્રનું બુલડોઝર ફરી શકે છે. ખંભાતના જેલ રોડ પર ગેરકાદે દબાણ દૂર કરવા કવાયત હાથ ધરી હતી.સીટી સર્વેના અધિક મામલતદારે દબાણ કરનાર લોકોને નોટીસ પાઠવી છે.
ખંભાત જેલ રોડ પરના દબાણો હટાવાયા
આણંદના ખંભાતમાં હિંસા ફેલાવનારા તત્વોની ખેર નહીં. ગેરકાયદે દબાણ પર ગમે ત્યારે તંત્રનું બુલડોઝર ફરી શકે છે. ખંભાતના જેલ રોડ પર ગેરકાદે 13 જેટલા કાચા પાકા બાંધકામો દૂર કરાયા હતાં. તદ્દ ઉપરાંત સીટી સર્વેના અધિક મામલતદારે દબાણ કરનાર લોકોને નોટીસ પાઠવી છે. મહત્વનું છે કે, દબાણ હટાવવાની તમામ કામગીરી પોલીસની હાજરીમાં કરાઇ
ખંભાતમાં હિંસા બાદ તંત્રએ લાલ આંખ કરી છે
મહત્વનું છે કે, સરકારે સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે કાયદો હાથમાં લેનારાઓને માફ નહીં કરાય. અને આ જ નિર્ણયના ભાગરૂપે ખંભાતમાં હિંસા બાદ તંત્રએ લાલ આંખ કરી છે. નોટીસને પગલે કેટલાક દબાણકર્તાઓએ પોતાના માલસામાન ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.