પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના પ્રમુખ અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઇજાગ્રસ્ત થઈ ગયા છે. તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના પર આ હુમલો કરવામાં આવ્યો છે.
#WATCH:"Not even one Police official was present. 4-5 people intentionally manhandled me in presence of public. No local police present during program not even SP. It was definitely a conspiracy. There were no police officials for 4-5 hrs in such huge public gathering" says WB CM pic.twitter.com/wJ9FbL96nX
#WATCH West Bengal CM Mamata Banerjee in Nandigram says she has suffered an injury in her leg after few people pushed her when she was near her car pic.twitter.com/D1l00MU7xw
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીને તાબડતોબ કારમાં બેસાડવામાં આવ્યા અને તે બાદ તેમણે કહ્યું કે ચાર પાંચ લોકોએ તેમના પર હુમલો કર્યો છે. જોકે બાદમાં તેમણે એમ પણ કહ્યું કે તે કઈં પણ બતાવી શકે તેવી પરિસ્થિતિમાં નથી.
ભાજપે નાટક ગણાવ્યું
મમતા બેનર્જીને તાત્કાલિક કારની પાછલી સીટમાં બેસાડવામાં આવ્યા અને રવાના કરવામાં આવ્યા હતા. જોકે એક મીડિયા ચેનલ સાથે વાતચીતમાં ભારતીય જનતા પાર્ટીના નેતાએ આ હુમલાને ખોટો ગણાવ્યો હતો. ભાજપ નેતા અર્જુન સિંહે કહ્યું કે મમતા બેનર્જી નાટક કરી રહ્યા છે અને તે જૂઠ બોલવામાં માસ્ટર છે. મમતા બેનર્જી પર આ હુમલા બાદ ભાજપે પોલીસ અને તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે કે આ બધુ થયું ત્યારે પોલીસ શું કરી રહી હતી. સીએમની સુરક્ષામાં તૈનાત લોકો શું કરી રહ્યા હતા.
Is it Taliban that her convoy was attacked? Huge police force accompanies her. Who can get near her? 4 IPS officers are her security incharge & must be suspended. Attackers don't appear out of nowhere, they've to be nabbed. She did drama for sympathy: WB BJP vice-pres Arjun Singh pic.twitter.com/EnINlTRMej
ઇજાગ્રસ્ત થયા બાદ મમતાના કાર્યક્રમો પર અસર પડી છે. તેમના આજના આગામી કાર્યક્રમો સ્થગિત કરી દેવામાં આવ્યા છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે તેની ફરિયાદ પણ નોંધાવશે.