ખાસ વાત એ છે કે કાર્યક્રમમાં પીએમ મોદીની એન્ટ્રી C-130 સુપર હર્ક્યુલિસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં થશે. કાર્યક્રમ બાદ ભારતીય વાયુસેના તરફથી એર શોનું પણ આયોજન કરવામાં આવશે. રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે. તેવામાં આ એક્સપ્રેસ-વે મોટા પ્રોજેક્ટ્સમાંથી એક કહેવામાં આવી રહ્યું છે.
આ એક્સપ્રેસ વે રાજ્યની રાજધાની લખનૌના મઉ, આજમગઢ, બારાબંકી સહિત પૂર્વ જિલ્લાથી જોડશે. સાથે જ પ્રયાગરાજ અને વારાણસીના રસ્તા પર સરળ થશે. રાજ્યના સીએમ યોગી આદિત્યનાથના શુક્રવારે સુલ્તાનપુરમાં ઉદ્ધાટનના કાર્યક્રમની તૈયારીઓનું નિરિક્ષણ કર્યું. તેમણે કહ્યું કે પૂર્વાંચલ એક્સપ્રસ -વે યૂપીની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ બનશે. પીએમ મોદીએ 2018માં આધારશિલા રાખી હતી.
આ રસ્તો 19 મહિનામાં બનીને તૈયાર થયો
સીએમ આદિત્યનાથે કહ્યું કે કોવિડ -19 મહામારી છતાં આ રસ્તો 19 મહિનામાં બનીને તૈયાર થયો છે. સુલ્તાનપુર જિલ્લામાં ફાઈટર વિમાનની ઈમરજન્સી લેન્ડિંગના સમયે 3.3 કિમી લાંબો રસ્તો તૈયાર કર્યો છે. એક શો દરમિયાન મિરાજ 2000 અને Su-30MKI વિમાન ઈમરજન્સી એરસ્ટ્રીપથી અનેક વાર ઉડાન ભરશે. આ ઉપરાંત કેટલાક વિમાન કુરેભાર ગામમાં તૈયાર રનવે પર લેન્ડ કરશે. શુક્રવારે ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં રિહર્સલ કરવામાં આવ્યું.
. 6 લેનવાલ આ એક્સપ્રેસ- વેના વિસ્તાર 8 લેન સુધી કરી શકાય છે
ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યાનુસાર 341 કિમી લાંબા પૂર્વાચલ એક્સપ્રેસ -વેની શરુઆત લખનૌ-સુલ્તાનપુર હાઈવેથી ચાંદસરાએ ગામથી થશે. આ બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈજાબાદ, આંબેડકર નગર, આઝમગઢ, મઉથી પસાર થશે. 6 લેનવાલ આ એક્સપ્રેસ- વેના વિસ્તાર 8 લેન સુધી કરી શકાય છે. આના માધ્યમથી પ્રવાસી લખનૌથી ગાજીપુર સુધી સફર 3.5 કલાકમાં પુરુ કરી શકશે. પહેલા આ પ્રવાસનો સમય લગભગ 6 કલાકનો હતો.
એક્સપ્રેસ વે પર 7 મોટા અને 114 નાના પુલ હશે. 7 રેલવે પુલ રહેશે. સાથે આમાં 271 અંડરપાસ પણ બનાવશે. પ્રવાસીઓની સુરક્ષા માટે પોલીસ એમ્બ્યુલન્સ જેવી વ્યવસ્થા પણ કરવામાં આવશે.