જો અધિક માસ અને જેને ખુદ ભગવાન પુરૂષોત્તમે પોતાનું નામ આપ્યું છે તેવા આ પવિત્ર માસમાં તેમની પારંપારિક પૂજાવિધીથી પૂજા કરશો તો જે માંગશો એ મળશે. અગિયાર સરળ સ્ટેપમાં ભગવાન વિષ્ણુની આરાધના કરશો તો મનગમતુ ફળ મળશે.
ભગવાન વિષ્ણુના પવિત્રમાસમાં તેમની વિધિવત પૂજા કરવી જરૂરી
ભગવાનને પીળો રંગ છે પસંદ
પીળો રંગ પ્રકાશનો પણ અને અજવાશનો પણ
અધિકમાસમાં ભગવાન વિષ્ણની આરાધનાનું અનેરૂં મહત્વ છે ત્યારે ભગવાનની પારંપરિક રીતથી પૂજા કરવી પણ જરૂરી છે.
ભગવાનની જો પ્રોપર રીતથી પૂજા અર્ચના થાય તો તમારા મનગમતા કામ પૂરા થાય છે. તો જાણી લો કેવી રીતે કરશો ભગવાન વિષ્ણની પૂજા?
કેવી રીતે કરશો ભગવાન વિષ્ણુની પૂજા?
રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન પછી સૂર્યને તાંબાના લોટાથી જળ અર્પણ કરો.
ઘરના મંદિરમાં ભગવાન વિષ્ણુ અને બાળ ગોપાલની પૂજા કરો.
ભગવાને પીળા વસ્ત્ર અર્પણ કરો.
કેસર, ચંદન, પીળા ફૂલ ચઢાવો.
તુલસી સાથે માખણ-મિશ્રીનો ભોગ ધરાવો.
દીવો પ્રગટાવીને આરતી કરો.
આરતી પછી સાફ આસન ઉપર બેસીને ભગવાનના મંત્રનો જાપ કરો.
મંત્ર જાપ માટે તુલસીની માળાનો ઉપયોગ કરવો જોઇએ.
જાપની સંખ્યા ઓછામાં ઓછી 108 હોવી જોઇએ.
મંત્રજાપ પછી ભગવાનને પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગવી.