રાજ્યમાં માર્ગ મરામત મહા અભિયાનની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદીએ બિસ્માર રોડ-રસ્તાને લઇ મહત્વનું નિવેદન આપ્યું છે.
રોડ-રસ્તાને લઇ બોલ્યાં પૂર્ણેશ મોદી
રસ્તાની કામગીરી સમયસર પૂર્ણ કરવા કટિબદ્ધઃ પૂર્ણેશ મોદી
અભિયાન ફૂલ ગતિમાં ચાલી રહ્યું છેઃ પૂર્ણેશ મોદી
કેબિનેટ બેઠક બાદ પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, રાજ્યમાં વરસાદ પેટર્ન બદલી રહ્યો છે. થોડા સમયમાં અનેક ઈંચ વરસાદ થયો છે. પાણી અને ડામરને વેર એ જગજાહેર છે. 3 ઓક્ટોબર બાદ હવે વરસાદના કોઈ સંકેત નથી.
પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે, 21 સપ્ટેમ્બર બાદ રોડ અંગે અભિયાન શરૂ કર્યુ હતું. AMC, રાજ્યના રોડ અંગે ખાડા અભિયાન શરૂ કર્યું હતું. અભિયાનમાં સફળતા મળી, કામગીરી શરૂ કરી છે. અભિયાન ફૂલ ગતિમાં ચાલી રહ્યું છે. ખાડા પૂરો અભિયાનમાં સહકાર મળી રહ્યો છે. એક રસ્તાની ફરિયાદ અનેક લોકો કરે છે. રસ્તાની કામગીરી સમયસર પૂર્ણ કરવા કટિબદ્ધ છીએ.
મહત્વનું છે કે, પૂર્ણેશ મોદીએ જાહેરાત કરી હતી કે 1 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધીમાં તમામ રોડ રિપેર કરી દેવાશે. 10 દિવસમાં ગુજરાતના ખાડાવાળા રોજ રીપેર કરવામાં આવશે. વરસાદમાં નુકસાન થયેલા રોડને રીપેર કરાવનું જલ્દી કરી દેવામાં આવશે. ફરિયાદ અને કામગીરી અંગે ટ્વીટ કરીને માહિતી આપીશું.