બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Purkshalan ceremony of Amba's own temple will be held at Ambaji tomorrow
Malay
Last Updated: 03:27 PM, 30 September 2023
ADVERTISEMENT
Ambaji Temple: યાત્રાધામ અંબાજી ખાતે આવતીકાલે માં અંબાના નિજ મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવશે. બપોરે 1:30 કલાક સુધી માં અંબાના દર્શન થશે. જે બાદ એટલે કે બપોરે 1:30 બાદ મંદિર બંધ કરવામાં આવશે. મહત્વનું છે કે, ભાદરવી પૂનમના મેળા બાદ ચોથના દિવસે દર વર્ષે અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિમાં મંદિર સહિત માતાજીના સોના-ચાંદીના ઘરેણા અને ચાંચર ચોકની સાફ-સફાઇ કરવામાં આવે છે.
ADVERTISEMENT
અંબાજી ખાતે યોજાશે પ્રક્ષાલન વિધિ
આ અંગે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મંદિરની પ્રણાલિક મુજબ તા- 01/10/2023 ભાદરવા વદ -2 (બીજ)ને રવિવારના રોજ માતાજીના નિજમંદિરમાં પ્રક્ષાલન વિધિ બપોરે 1:30 કલાકે શરૂ થશે, જેથી સદરહું દિવસ પુરતો માતાજીની આરતી તથા દર્શનનો સમય સવારે 07:10થી 11:30 સુધી અને બપોરે 12:30થી 01:30 સુધી રહેશે.
શું છે પ્રક્ષાલન વિધિ
- અંબાજી મંદિરમાં પ્રક્ષાલનવિધિ વર્ષમાં એકવાર ભાદરવી પુનમ બાદ ચોથે કરવામાં આવે છે.
- જેમાં અંબાજી નિજ મંદિરના ગોખ સહિત સમગ્ર મંદિર પરીસરની સાફ સફાઈ કરે છે.
- આ ખાસ કરીને અમદાવાદના એક સોની પરિવાર દ્વારા કરવામાં આવે છે. જે છેલ્લા 187 વર્ષથી આ વિધિ સાથે સંકળાયેલા છે.
- આ વિધિમાં અંબાજી મંદિર પરિસરને નદીઓના નીરથી ધોવામાં આવે છે.
- માતાજીના શણગારના સોના-ચાંદીના દાગીનાઓને મંદિરના પવિત્રજળની ધોવામાં આવે છે.
- આ મંદિરની પવિત્રતા જાળવવા ખાસ પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT