પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના 80 દિવસ બાદ તેના પિતા બલકર સિંહે મોટો દાવો કર્યો છે. તેમણે સિદ્ધુની હત્યા પાછળ કેટલાક ગાયકો અને રાજકીય લોકોને જવાબદાર ઠેરવ્યા છે.
સિદ્ધુ મુસેવાલાના પિતાએ આપ્યું નિવેદન
પંજાબી સિંગર સિદ્ધુની હત્યા કરવામાં આવી હતી
પિતાએ ઘણા ગાયકો અને રાજકીય લોકોને જવાબદાર ઠેરવ્યા
પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યાના 80 દિવસ બાદ તેના પિતા બલકર સિંહે મોટો દાવો કર્યો છે. તેમણે સિદ્ધુની હત્યા પાછળ કેટલાક ગાયકો અને રાજકીય લોકોને જવાબદાર ઠેરવ્યા છે. સાથે જ બહુ જલ્દી તેનો ખુલાસો કરવાની વાત કહેવામાં આવી છે. રવિવારે, હજારો લોકો મુસેવાલાના ઘરે તેના માતાપિતાને મળવા ગયા હતા. આ પ્રસંગે દિવંગત ગાયકના પિતાએ તેમને સંબોધીને જણાવ્યું હતું કે, ટૂંકા સમયમાં વધુ પ્રગતિ કરી હોવાથી તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સિદ્ધુની હત્યા માટે કેટલાક ગાયકો જવાબદાર છે, જેઓ નહોતા ઇચ્છતા કે સિદ્ધુ સારું ગાય. પરંતુ સિદ્ધુની હત્યા કરાવનારા આ ગાયકો હવે ક્યારેય પ્રગતિ કરશે નહીં.
ગીત વિશે ગેરમાર્ગે દોરવામાં આવ્યા
મુસેવાલાના પિતા બલકરસિંહે પણ કહ્યું હતું કે, એક જૂથે સિદ્ધુના ગીતો વિશે બધાને ગેરમાર્ગે દોર્યા હતા. સરકારને પણ ગેરમાર્ગે દોરવામાં આવી હતી. સિદ્ધુએ એક ગીતમાં કહ્યું હતું - "જે લોકો તેમની ઘરવાળીને સંભાળી શકતા નથી, તેઓ મને સલાહ આપે છે." જેનો તે લોકોએ ખોટો મતલબ કાઢ્યો હતો.
ઘણા લોકોને સિદ્ધુની પ્રસિદ્ધિ પસંદ નહોતી
ઘરમાં હાજર સિદ્ધુના પિતાએ લોકોને જણાવ્યું હતું કે, ટૂંકી કારકિર્દીમાં તેમને મળેલી પ્રસિદ્ધિના કારણે કેટલાક લોકો ઈચ્છતા હતા કે સિદ્ધુ તેમના દ્વારા જે કંઈ કહે તે કરે. પરંતુ જ્યાં સુધી તે હતો ત્યાં સુધી તે જાતે જ રહ્યો અને મારી પાસે જે જીવન છે તે પણ મારી રીતે જીવીશ. તેમણે કહ્યું કે સિદ્ધુ જ્યારે કેનેડામાં ભણવા ગયા ત્યારે કેટલાક ખોટા લોકો તેમની સાથે જોડાઈને તેનો ફાયદો ઉઠાવવા માંગતા હતા. સિદ્ધુના પિતાએ કહ્યું કે ટૂંક સમયમાં જ તે તમામ લોકોના નામ જાહેર જનતાની સામે મુકશે જે તેમના પુત્રના મોત માટે જવાબદાર છે.
29 મેના રોજ હત્યા થઇ હતી
29 મેના રોજ પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની પંજાબના માણસા જિલ્લાના જવાહરકે ગામને અડીને આવેલા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગેંગસ્ટર્સ લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બ્રાર પર હત્યાને અંજામ આપવાનો આરોપ છે.